भक्त्या यत्क्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः
श्रीकारिप्रकटीकृताखिलजगत्कैवल्यभाजो जनाः
છે, તેને વિદ્વાનો શ્રુતદાન (જ્ઞાનદાન) કહે છે. આ જ્ઞાનદાન સિદ્ધ થતાં થોડા જ
ભવોમાં મનુષ્ય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે જેના વડે સમસ્ત વિશ્વ સાક્ષાત્ દેખાય
છે અને જે પ્રગટ થતાં ત્રણે લોકના પ્રાણી ઉત્સવની શોભા કરે છે. ૧૦.
दानं स्यादभयादि तेन रहितं दानत्रयं निष्फलम्
यत्तत्पात्रजने विनश्यति ततो दानं तदेकं परम्
તેનાથી રહિત બાકીના ત્રણ પ્રકારના દાન વ્યર્થ જાય છે. આહાર, ઔષધ અને
શાસ્ત્રદાનની વિધિથી પાત્રજીવોનો ક્રમે ક્ષુધાનો ભય, રોગનો ભય અને
અજ્ઞાનપણાનો ભય નષ્ટ થાય છે માટે જ તે એક અભયદાન જ શ્રેષ્ઠ છે.
સિવાય જો વિચાર કરવામાં આવે તો તે આહારાદિના દાનસ્વરૂપ બાકીના ત્રણ પણ આ
અભયદાનની જ અંદર આવી જાય છે. એનું કારણ એ છે કે અભયદાનનો અર્થ છે પ્રાણીના
સર્વ પ્રકારના ભય દૂર કરીને તેને નિર્ભય કરવા. આહારદાન દ્વારા પ્રાણીની ક્ષુધાનો ભય,
ઔષધદાન દ્વારા રોગનો ભય અને શાસ્ત્રદાન દ્વારા તેના અજ્ઞાનપણાનો ભય જ દૂર કરવામાં
આવે છે. ૧૧.