Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 15-16 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 199 of 378
PDF/HTML Page 225 of 404

 

background image
અનુવાદ : દાન દ્વારા જ ગુણયુક્ત ગૃહસ્થાશ્રમ બન્ને લોકને પ્રકાશિત કરે
છે અર્થાત્ જીવને દાનના નિમિત્તે જ આ ભવ અને પરભવ બન્નેમાં સુખ પ્રાપ્ત થાય
છે. એનાથી ઉલ્ટું ઉક્ત દાન વિના ધનવાન મનુષ્યનો તે ગૃહસ્થાશ્રમ બન્ને લોકને
નષ્ટ કરી નાંખે છે. સેંકડો દુષ્ટ વ્યાપારોમાં પ્રવૃત્ત થતાં ગૃહસ્થને જે પાપ ઉત્પન્ન થાય
છે તેને નષ્ટ કરવાનું તથા ચંદ્રમા સમાન ધવળ યશની પ્રાપ્તિનું કારણ તે દાન જ
છે, તે સિવાય પાપનાશ અને યશની પ્રાપ્તિનું બીજું કોઈ કારણ હોઈ શકે નહિ. ૧૪.
(शार्दूलविक्रीडित)
पात्राणामुपयोगि यत्किल धनं तद्धीमतां मन्यते
येनानंतगुणं परत्र सुखदं व्यावर्तते तत्पुनः
यद्भोगाय गतं पुनर्धनवतस्तन्नष्टमेव ध्रुवं
सर्वासामिति सम्पदां गृहवतां दाने प्रधानं फलम्
।।१५।।
અનુવાદ : જે ધન પાત્રોના ઉપયોગમાં આવે છે તેને જ બુદ્ધિમાન મનુષ્ય
શ્રેષ્ઠ માને છે કારણ કે તે અનંતગુણા સુખનું આપનાર થઈને પરલોકમાં ફરીથી પણ
પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ એનાથી વિપરીત જે ધનવાનનું ધન ભોગના નિમિત્તે નષ્ટ
થાય છે તે નિશ્ચયથી નષ્ટ જ થઈ જાય છે અર્થાત્ દાનજનિત પુણ્યના અભાવમાં
તે ફરી કદી પ્રાપ્ત થતું નથી. તેથી જ ગૃહસ્થોને સમસ્ત સંપત્તિઓના લાભનું ઉત્કૃષ્ટ
ફળ દાનમાં જ પ્રાપ્ત થાય છે. ૧૫.
(शार्दूलविक्रीडित)
पुत्रे राज्यमशेषमर्थिषु धनं दत्त्वाभयं प्राणिषु
प्राप्ता नित्यसुखास्पदं सुतपसा मोक्षं पुरा पार्थिवाः
मोक्षस्यापि भवेत्ततः प्रथमतो दानं निदानं बुधैः
शक्त्या देयमिदं सदातिचपले द्रव्ये तथा जीविते
।।१६।।
અનુવાદ : પૂર્વકાળમાં અનેક રાજાઓ પુત્રને સમસ્ત રાજ્ય આપી દઈને,
યાચક જનોને ધન આપીને તથા પ્રાણીઓને અભય આપીને ઉત્કૃષ્ટ તપશ્ચરણ દ્વારા
અવિનશ્વર સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત થયા છે. આ રીતે તે દાન મોક્ષનું પણ
પ્રધાન કારણ છે. તેથી સંપત્તિ અને જીવન અતિશય ચપળ અર્થાત્ નશ્વર હોવાથી
અધિકાર૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૧૯૯