Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 20-21 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 201 of 378
PDF/HTML Page 227 of 404

 

background image
तैरत्रोपकृतं न केषुचिदपि प्रायो न संभाव्यते
तत्कार्याणि पुनः सदैव विदधद्दाता परं
द्रश्यते ।।१९।।
અનુવાદ : ચિન્તામણિ, કલ્પવૃક્ષ, કામધેનુ અને પારસ પથ્થર આદિ પૃથ્વીપર
પરોપકાર કરવામાં કેવળ પ્રસિદ્ધ જ છે. તેમને ન તો કોઈએ પરોપકાર કરતા જોયા
છે અને ન તેમણે અહીં કોઈનો ઉપકાર કર્યો પણ છે તથા એવી સંભાવના પણ ઘણું
કરીને નથી. પરંતુ તેમના કાર્યો (પરોપકારાદિ) સદાય કરતા કેવળ દાતા શ્રાવક અવશ્ય
જોવામાં આવે છે. તાત્પર્ય એ છે કે દાની મનુષ્ય તે પ્રસિદ્ધ ચિન્તામણિ આદિથી
પણ અતિશય શ્રેષ્ઠ છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
यत्र श्रावकलोक एष वसति स्यात्तत्र चैत्यालयो
यस्मिन् सोऽस्ति च तत्र सन्ति यतयो धर्मश्च तैर्वतते
धर्मे सत्यघसंचयो विघटते स्वर्गापवर्गाश्रयं
सौख्यं भावि नृणां ततो गुणवतां स्युः श्रावकाः संमताः
२०
અનુવાદ : જે ગામમાં આ શ્રાવકો રહે છે ત્યાં ચૈત્યાલય થાય છે અને
જ્યાં ચૈત્યાલય છે ત્યાં મુનિઓ રહે છે, તે મુનિઓ દ્વારા ધર્મની પ્રવૃત્તિ થાય
છે તથા ધર્મ થતાં પાપના સમૂહનો નાશ થઈને સ્વર્ગ
મોક્ષનું સુખ પ્રાપ્ત થાય
છે. તેથી ગુણવાન મનુષ્યોને શ્રાવકો ઇષ્ટ છે. ૨૦.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જે જિનમંદિરોમાં સ્થિત થઈને મુનિઓ સ્વર્ગ
મોક્ષના સાધનભૂત ધર્મનો પ્રચાર કરે છે તે જિનમંદિર શ્રાવકો દ્વારા જ બનાવાય છે. માટે
જો તે શ્રાવકો જ પરંપરાએ તે સુખના સાધન હોય તો ગુણી જનોએ તે શ્રાવકોનું યથાયોગ્ય
સન્માન કરવું જ જોઈએ. ૨૦
(शार्दूलविक्रीडित)
काले दुःखमसंज्ञके जिनपतेधर्मे गते क्षीणतां
तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति
चैत्ये चैत्यगृहे च भक्तिसहितो यः सोऽपि नो द्रश्यते
यस्तत्कारयते यथाविधि पुनर्भव्यः स वंद्यः सताम् ।।२१।।
અધિકાર૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૨૦૧