Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 24-25 (7. Deshvratodhyotan).

< Previous Page   Next Page >


Page 203 of 378
PDF/HTML Page 229 of 404

 

background image
અનુવાદ : સંસારમાં ચૈત્યાલય થતાં અનેક ભવ્યજીવ યાત્રાઓ,
(જળયાત્રાઆદિ) અભિષેકો, સેંકડો મહાન ઉત્સવો અનેક પ્રકારના પૂજા વિધાનો,
ચંદરવા, નૈવેદ્ય, અન્ય ભેટો, ધ્વજાઓ, કળશો, લૌર્યત્રિકો (ગીત, નૃત્ય, વાદિત્ર),
જાગરણો, ઘંટ, ચામર, દર્પણાદિ દ્વારા ઉત્કૃષ્ટ શોભાનો વિસ્તાર કરીને નિરંતર પુણ્યનું
ઉપાર્જન કરે છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
ते चाणुव्रतधारिणो ऽपि नियतं यान्त्यिेव देवालयं
तिष्ठन्त्येव महर्द्धिकामरपद तत्रैव लब्ध्वा चिरम्
अत्रागत्य पुनः कुले ऽतिमहति प्राप्य प्रकृष्टं शुभा-
न्मानुष्यं च विरागतां च सकलत्यागं च मुक्तास्ततः
।।२४।।
અનુવાદ : તે ભવ્ય જીવ જો અણુવ્રતોના પણ ધારક હોય તોપણ મરીને
પછી સ્વર્ગમાં જ જાય છે અને અણિમા આદિ ૠદ્ધિ સંયુક્ત દેવપદ પ્રાપ્ત કરીને
દીર્ઘકાળ સુધી ત્યાં (સ્વર્ગમાં) જ રહે છે. ત્યાર પછી મહાન્ પુણ્યકર્મના ઉદયથી
મનુષ્યલોકમાં આવીને અને અતિશય પ્રશંસનીય કુળમાં ઉત્તમ મનુષ્ય થઈને વૈરાગ્ય
પ્રાપ્ત થયા થકા તેઓ સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થઈ જાય છે તથા આ ક્રમે
તેઓ અંતે મુક્તિ પણ પ્રાપ્ત કરી લે છે. ૨૪.
(शार्दूलविक्रीडित)
पुंसो ऽर्थेषु चतुर्षु निश्चलतरो मोक्षः परं सत्सुखः
शेषास्तद्विपरीतधर्मकलिता हेया मुमुक्षोरतः
तस्मात्तत्पदसाधनत्वधरणो धर्मोऽपि नो संमतः
यो भोगादिनिमित्तमेव स पुनः पापं बुधैर्मन्यते
।।२५।।
અનુવાદ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોમાં કેવળ મોક્ષ
પુરુષાર્થ જ સમીચીન (બાધા રહિત) સુખ યુક્ત હોઈને સદા સ્થિર રહે છે. બાકીના
ત્રણ પુરુષાર્થ તેનાથી વિપરીત (અસ્થિર) સ્વભાવવાળા છે. તેથી તે મુમુક્ષુજનોએ
છોડવા યોગ્ય છે. તેથી જે ધર્મ પુરુષાર્થ ઉપર્યુક્ત મોક્ષ પુરુષાર્થનો સાધક થાય છે
અધિકાર૭ઃ દેશવ્રતઉદ્યોતન ]૨૦૩