Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 24-25 (8. Siddh Stuti).

< Previous Page   Next Page >


Page 216 of 378
PDF/HTML Page 242 of 404

 

background image
તે સિદ્ધોનું ધ્યાન કરે છે તેમના વિષયમાં અમે શું કહીએ? અર્થાત્ તેઓ તો અતિશય
ગુણવાન અને વંદનીય છે જ. ૨૩.
(शार्दूलविक्रीडित)
यः सिद्धे परमात्मनि प्रविततज्ञानैकमूर्तौ किल
ज्ञानी निश्चयतः स एव सकलप्रज्ञावतामग्रणीः
तर्कव्याकरणादिशास्त्रसहितैः किं तत्र शून्यैर्यतो
यद्योगं विदधाति वेध्यविषये तद्बाणमावर्ण्यते
।।२४।।
અનુવાદ : જે ભવ્ય જીવ અતિશય વિસ્તૃત જ્ઞાનરૂપ અદ્વિતીય શરીરના ધારક
સિદ્ધ પરમાત્માના વિષયમાં જ્ઞાનવાન્ છે તે જ નિશ્ચયથી સમસ્ત વિદ્વાનોમાં શ્રેષ્ઠ છે.
પરંતુ જે સિદ્ધાત્મવિષયક જ્ઞાનથી શૂન્ય રહીને ન્યાય અને વ્યાકરણ આદિ શાસ્ત્રોના
જાણકાર છે તેમનું અહીં કાંઈ પણ પ્રયોજન નથી. કારણ એ કે જે લક્ષ્યના વિષયમાં
સંબંધ કરે છે તે જ બાણ કહેવાય છે.
વિશેષાર્થ : જે બાણ પોતાના લક્ષ્યને વીંધે છે તે જ બાણ પ્રશંસનીય મનાય છે, પણ
જે બાણ પોતાનું લક્ષ્ય વીંધવામાં અસમર્થ રહે છે તે વાસ્તવમાં બાણ કહેવરાવવાને યોગ્ય નથી.
એવી જ રીતે જે ભવ્ય જીવ પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં જાણકારી રાખે છે તે જ વાસ્તવમાં
પ્રશંસનીય છે. એનાથી વિપરીત જે ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ આદિ અનેક વિષયોનાં પ્રકાંડ
વિદ્વાન થઈને પણ જો પ્રયોજનભૂત આત્મતત્ત્વના વિષયમાં અજ્ઞાની છે તો તે નિન્દાને પાત્ર છે.
કારણ એ કે આત્મજ્ઞાન વિના જીવનું કદી કલ્યાણ થઈ શકતું નથી. એ જ કારણે દ્રવ્યલિંગી મુનિ
બાર અંગના પાઠી હોવા છતાં પણ અભવ્યસેનની જેમ સંસારમાં પરિભ્રમણ કરે છે અને એનાથી
વિપરીત શિવભૂતિ (ભાવ
- પ્રાભૃત - ૫૨ - ૫૩) મુનિ જેવા ભવ્ય પ્રાણી કેવળ તુષમાષ સમાન
આત્મપરના વિવેકથી જ સંસારથી મુક્ત થઈ જાય છે. ૨૪.
(शार्दूलविक्रीडित)
सिद्धात्मा परमः परं प्रविलसद्बोधः प्रबुद्धात्मना
येनाज्ञायि स किं करोति बहुभिः शास्त्रैर्बहिर्वाचकैः
यस्य प्रोद्गतरोचिरुज्ज्वलतनुर्भानुः करस्थो भवेत्
ध्वान्तध्वंसविधौ स किं मृगयते रत्नप्रदीपादिकान्
।।२५।।
અનુવાદ : જે વિવેકી પુરુષે સમ્યગ્જ્ઞાનથી વિભૂષિત કેવળ ઉત્કૃષ્ટ સિદ્ધ આત્માનું
૨૧૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ