૯. આલોચના
[९. आलोचना ]
(शार्दूलविक्रीडित)
यद्यानन्दनिधिं भवन्तममलं तत्त्वं मनो गाहते सिङ्घस्ताुतिा
त्वन्नामस्मृतिलक्षणो यदि महामन्त्रो ऽस्त्यनन्तप्रभः ।
यानं च त्रितयात्मके यदि भवेन्मार्गे भवद्दर्शिते
को लोकेऽत्र सतामभीष्टविषये विघ्नो जिनेश प्रभो ।।१।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! જો સજ્જનોનું મન આનંદના સ્થાનભૂત
આપના નિર્મળ સ્વરૂપનું અવગાહન કરે છે, જો અનંત દીપ્તિ સંપન્ન આપના
નામ સ્મરણરૂપ મહામંત્ર પાસે છે અને જો આપના દ્વારા બતાવવામાં આવેલ
રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગમાં ગમન છે; તો પછી અહીં લોકમાં તે સજ્જનોને
પોતાના ઇષ્ટ વિષયમાં વિઘ્ન ક્યું હોઈ શકે? અર્થાત્ તેમને ઇષ્ટ વિષયમાં કોઈ
બાધા ઉપસ્થિત થતી નથી. ૧.
(शार्दूलविक्रीडित)
निःसंगत्वमरागिताथ समता कर्मक्षयो बोधनं
विश्वव्यापि समं द्रशा तदतुलानन्देन वीर्येण च ।
ईद्रग्देव तवैव संसृति परित्यागाय जातः क्रमः
शुद्धस्तेन सदा भवच्चरणयोः सेवा सतां संमता ।।२।।
અનુવાદ : હે દેવ! પરિગ્રહત્યાગ, વીતરાગતા, સમતા, કર્મનો ક્ષય,
કેવળદર્શન સહિત સમસ્ત પદાર્થોને એક સાથે વિષય કરનારૂં જ્ઞાન (કેવળજ્ઞાન),
અનંત સુખ અને અનંતવીર્ય; આ પ્રકારની આ વિશુદ્ધ પ્રવૃત્તિ સંસારથી મુક્ત
૨૧૯