થવા માટે આપની જ થયેલી છે. તેથી સજ્જનોને સદા આપના ચરણોની
આરાધના ઇષ્ટ છે. ૨.
(शार्दूलविक्रीडित)
यद्येतस्य द्रढा मम स्थितिरभूत्त्वत्सेवया निश्चितं
त्रैलोक्येश बलीयसोऽपि हि कुतः संसारशत्रोर्भयम् ।
प्राप्तस्यामृतवर्षहर्षजनकं सद्यन्त्रधारागृहं
पुंसः किं कुरुते शुचौ खरतरो मध्याह्नकालातपः ।।३।।
અનુવાદ : હે ત્રિલોકીનાથ! જો આપની આરાધનાથી નિશ્ચયથી મારી એવી
દ્રઢ સ્થિતિ થઈ ગઈ છે તો પછી મને અતિશય બળવાન્ સંસારરૂપ શત્રુથી પણ ભય
કેમ હોય? અર્થાત્ ન હોય. ઠીક છે – અમૃતવર્ષાથી હર્ષ ઉત્પન્ન કરનાર એવા ઉત્તમ
ફુવારા યુક્ત ગૃહને પ્રાપ્ત થયેલ પુરુષને શું ગ્રીષ્મ ૠતુમાં મધ્યાહ્નકાલીન સૂર્યનો
અત્યંત તીક્ષ્ણ સંતાપ પણ શું દુઃખી કરી શકે છે? અર્થાત્ કરી શકતો નથી. ૩.
(शार्दूलविक्रीडित)
यः कश्चिन्निपुणो जगत्त्रयगतानर्थानशेषांश्चिरं
सारासारविवेचनैकमनसा मीमांसते निस्तुषम् ।
तस्य त्वं परमेक एव भगवन् सारो ह्यसारं परं
सर्वं मे भवदाश्रितस्य महती तेनाभवन्निर्वृतिः ।।४।।
અનુવાદ : હે ભગવાન! જે કોઈ ચતુર પુરુષ સાર અને અસાર પદાર્થોનું
વિવેચન કરનાર અસાધારણ મન દ્વારા નિર્દોષ રીતે ત્રણે લોકના સમસ્ત પદાર્થોનો
ઘણા કાળ સુધી વિચાર કરે છે તેને કેવળ એક આપ જ સારભૂત અને અન્ય સર્વ
અસારભૂત છે તેથી આપના શરણે આવેલા મને મહાન્ આનંદ પ્રાપ્ત થાય છે. ૪.
(शार्दूलविक्रीडित)
ज्ञानं दर्शनमप्यशेषविषयं सौख्यं तथात्यन्तिकं
वीर्यं च प्रभुता च निर्मलतरा रूपं स्वकीयं तव ।
सम्यग्योगद्रशा जिनेश्वर चिरात्तेनोपलब्धे त्वयि
ज्ञातं किं न विलोकितं न किमथ प्राप्तं न किं योगिभिः ।।५।।
૨૨૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ