છે; આ પ્રકારનું આપનું નિજ સ્વરૂપ છે. તેથી જે યોગીજનોએ સમ્યક્ ધ્યાનરૂપ નેત્ર
દ્વારા ચિરકાળમાં આપને પ્રાપ્ત કરી લીધા છે તેમણે શું નથી જાણ્યું? શું નથી જોયું,
અને શું નથી પ્રાપ્ત કરી લીધું? અર્થાત્ એક માત્ર આપને જાણી લેવાથી તેમણે બધું
જ જાણી લીધું, દેખી લીધું અને પ્રાપ્ત કરી લીધું છે. ૫.
त्वामेकं प्रणमामि चेतसि दधे सेवे स्तुवे सर्वदा
दित्थं तद्भवतु प्रयोजनमतो नान्येन मे केनचित्
છું, આપની જ સેવા કરૂં છું, આપની જ સ્તુતિ કરૂં છું, તથા એક આપના જ શરણને
પ્રાપ્ત થયો છું. ઘણું કહેવાથી શું લાભ? આ રીતે જે કાંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકતું
હોય તે થાવ. મને આપના સિવાય અન્ય કોઈની સાથે પ્રયોજન નથી. ૬.
भ्रान्त्याहं प्रतिपन्नवांश्च मनसा वाचा च कायेन च
स्तन्मिथ्याखिलमस्तु मे जिनपते स्वं निन्दतस्ते पुरः
કર્યું’; એમ સ્વીકાર કર્યો હોય અર્થાત્ અનુમોદના કરી હોય; એ ઉપરાંત આ જ નવ
સ્થાનો (૧ મનકૃત, ૨ મન કારિત, ૩ મન અનુમોદિત, ૪ વચનકૃત, ૫ વચનકારિત,
૬ વચનાનુમોદિત, ૭ કાયકૃત, ૮ કાયકારિત અને કાયાનુમોદિત) દ્વારા બીજા પણ