જે પાપ વર્તમાનકાળમાં કરી રહ્યો છું, અને ભવિષ્યકાળમાં કરીશ તે સર્વ મારા પાપ
આપની સામે આત્મનિંદા કરવાથી મિથ્યા થાવ. ૭.
(शार्दूलविक्रीडित)
लोकालोकमनन्तपर्यययुतं कालत्रयीगोचरं
त्वं जानासि जिनेन्द्र पश्यसि तरां शश्वत्समं सर्वतः ।
स्वामिन् वेत्सि ममैकजन्मजनितं दोषं न किंचित्कुतो
हेतोस्ते पुरतः स वाच्य इति मे शुद्धयर्थमालोचितम् ।।८।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપ ત્રિકાળવર્તી અનંત પર્યાયો સહિત લોક અને
અલોકને સદા સર્વ તરફથી યુગપત્ જાણો અને દેખો છો. તો પછી હે સ્વામી! આપ
મારા એક જન્મમાં ઉત્પન્ન દોષોને ક્યા કારણે નથી જાણતા? અર્થાત્ અવશ્ય જાણો
છો. છતાં પણ હું આલોચના પૂર્વક આત્મશુદ્ધિ માટે ઉક્ત દોષ આપની સામે પ્રગટ
કરૂં છું. ૮.
(शार्दूलविक्रीडित)
आश्रित्य व्यवहारमार्गमथवा मूलोत्तराख्यान् गुणान्
साधोर्धारयतो मम स्मृतिपथप्रस्थायि यद्दूषणम् ।
शुद्धयर्थं तदपि प्रभो तव पुरः सज्जोऽहमालोचितुं
निःशल्यं हृदयं विधेयमजडैर्भव्यैर्यतः सर्वथा ।।९।।
અનુવાદ : વ્યવહાર માર્ગનો આશ્રય કરીને અથવા મૂળ અને ઉત્તર ગુણોને
ધારણ કરનાર મારા જેવા સાધુને જે દૂષણ સ્મરણમાં આવી રહ્યું છે તેની પણ શુદ્ધિ
માટે હે પ્રભો ! હું આપની પાસે આલોચના કરવા માટે ઉદ્યત થયો છું. કારણ એ
છે કે વિવેકી ભવ્ય જીવોએ સર્વ પ્રકારે પોતાનું હૃદય શલ્યરહિત કરવું જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
सर्वो ऽप्यत्र मुहुर्मुहुर्जिनपते लोकैरसंख्यैर्मित-
व्यक्ताव्यक्त विकल्पजालकलितः प्राणी भवेत् संसृतौ ।
૨૨૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ