तत्तावद्भिरयं सदैव निचितो दोषैर्विकल्पानुगैः
प्रायश्चित्तमियत् कुतः श्रुतगतं शुद्धिर्भवत्संनिधेः ।।१०।।
અનુવાદ : હે જિનેન્દ્રદેવ! અહીં સંસારમાં સર્વ પ્રાણી વારંવાર અસંખ્યાત
લોકપ્રમાણ સ્પષ્ટ અને અસ્પષ્ટ વિકલ્પોના સમૂહથી સંયુક્ત હોય છે. તથા ઉક્ત
વિકલ્પો અનુસાર આ પ્રાણી નિરંતર એટલા (અસંખ્યાત લોક પ્રમાણ) જ દોષોથી
વ્યાપ્ત હોય છે. આટલું પ્રાયશ્ચિત્ત ભલા, આગમપ્રમાણે ક્યાંથી થઈ શકે? અર્થાત્
થઈ શકતું નથી. માટે તે દોષોની શુદ્ધિ આપની નિકટતા અથવા આરાધનાથી થાય
છે. ૧૦.
(शार्दूलविक्रीडित)
भावान्तःकरणेन्द्रियाणि विधिवत्संहृत्य बाह्याश्रया-
देकीकृत्य पुनस्त्वया सह शुचिज्ञानैकसन्मूर्तिना ।
निःसंगः श्रुतसारसंगतमतिः शान्तो रहः प्राप्तवान्
यस्त्वां देव समीक्षते स लभते धन्यो भवत्संनिधिम् ।।११।।
અનુવાદ : હે દેવ! જે ભવ્ય જીવ ભાવમન અને ભાવેંન્દ્રિયોને નિયમાનુસાર
બાહ્ય વસ્તુઓ તરફથી ખસેડીને તથા નિર્મળ અને જ્ઞાનરૂપ અદ્વિતીય ઉત્તમ મૂર્તિના
ધારક આપની સાથે એકમેક કરીને પરિગ્રહરહિત, આગમના રહસ્યના જ્ઞાતા, શાન્ત
અને એકાન્ત સ્થાનને પ્રાપ્ત થતા થકા આપને દેખે છે તે પ્રશંસનીય છે. તે જ આપની
સમીપતા પ્રાપ્ત કરે છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
त्वामासाद्य पुरा कृतेन महता पुण्येन पूज्यं प्रभुं
ब्रह्माद्यैरपि यत्पदं न सुलभं तल्लभ्यते निश्चितम् ।
अर्हन्नाथ परं करोमि किमहं चेतो भवत्संनिधा-
वद्यापि ध्रियमाणमप्यतितरामेतद्बहिर्धावति ।।१२।।
અનુવાદ : હે અર્હંત્ દેવ! પૂર્વકૃત મહાન્ પુણ્યના ઉદયથી પૂજવાને યોગ્ય
આપ જેવા સ્વામીને પામીને જે પદ બ્રહ્મા આદિને માટે પણ દુર્લભ છે તે નિશ્ચિતપણે
અધિકાર – ૯ઃ આલોચના ]૨૨૩