Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 19-20 (9. Aalochana).

< Previous Page   Next Page >


Page 227 of 378
PDF/HTML Page 253 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
यन्नान्तर्न बहिः स्थितं न च दिशि स्थूलं न सूक्ष्मं पुमान्
नैव स्त्री न नपुंसकं न गुरुतां प्राप्तं न यल्लाघवम्
कर्मस्पर्शशरीरगन्धगणनाव्याहारवर्णोज्झितं
स्वच्छज्ञान
द्रगेकमूर्ति तदहं ज्योतिः परं नापरम् ।।१९।।
અનુવાદ : જે ઉત્કૃષ્ટ જ્યોતિ (ચૈતન્ય) ન તો અંદર સ્થિત છે અને ન બહાર
સ્થિત છે, જે દિશાવિશેષમાં સ્થિત નથી, જે ન સ્થૂળ છે અને ન સૂક્ષ્મ છે; જે ન
પુરુષ છે, ન સ્ત્રી છે અને ન નપુંસક છે; જે ન ગુરુતાને પ્રાપ્ત છે અને ન લઘુતાને
પ્રાપ્ત છે; જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના, શબ્દ અને વર્ણરહિત છે; તથા જે
નિર્મળ જ્ઞાન અને દર્શનની મૂર્તિ છે; તે જ ઉત્કૃષ્ટ જ્યોતિસ્વરૂપ હું છું
એનાથી ભિન્ન
બીજું કોઈ પણ સ્વરૂપ મારૂં નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે ભેદબુદ્ધિ રહે ત્યાંસુધી શરીર અને સ્વ અને પરની
કલ્પના થાય છે. અંદરબહાર; સ્થૂળસૂક્ષ્મ તથા પુરુષસ્ત્રી આદિ ઉપર્યુક્ત બધા વિકલ્પ એક
તે શરીરના આશ્રયે જ થયા કરે છે. પણ જ્યારે તે ભેદબુદ્ધિ નષ્ટ થઈ જાય છે અને
અભેદબુદ્ધિ પ્રગટ થઈ જાય છે ત્યારે તે સમસ્ત ભેદ વ્યવહાર પણ તેની સાથે જ નષ્ટ થઈ
જાય છે. તે વખતે અખંડ ચિત્પિંડસ્વરૂપ એક માત્ર આત્મજ્યોતિનો જ પ્રતિભાસ થાય છે.
ત્યાંસુધી કે આ નિર્વિકલ્પ અવસ્થામાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આદિનો પણ
ભેદ નષ્ટ થઈ જાય છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
एतेनैव चिदुन्नतिक्षयकृता कार्यं विना वैरिणा
शश्वत्कर्मखलेन तिष्ठति कृतं नाथावयोरन्तरम्
एषोऽहं स चते पुरः परिगतो दुष्टो ऽत्र निःसार्यतां
सद्रक्षेतरनिग्रहो नयवतो धर्मः प्रभोरी
द्रशः ।।२०।।
અનુવાદ : હે સ્વામિન્! કોઈ પ્રયોજન વિના જ વૈરભાવ પામીને ઉન્નત
ચૈતન્ય- સ્વરૂપનો ઘાત કરનાર આ કર્મરૂપ દુષ્ટ શત્રુ દ્વારા આપણા બન્ને વચ્ચે ઉત્પન્ન
કરવામાં આવેલો ભેદ સ્થિત છે. આ હું અને તે કર્મશત્રુ બન્ને ય આપની સામે હાજર
છીએ. આમાંથી આપ દુષ્ટને ખેંચીને બહાર ફેંકી દો કારણ કે, સજ્જનનું રક્ષણ કરવું
અધિકાર૯ઃ આલોચના ]૨૨૭