Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 24-25 (9. Aalochana).

< Previous Page   Next Page >


Page 229 of 378
PDF/HTML Page 255 of 404

 

background image
चैतन्यात्तव तत्तथेति यदि वा तत्रापि तत्कारणं
शुद्धात्मन् मम निश्चयात्पुनरिह त्वय्येव देव स्थितिः
।।२३।।
અનુવાદ : હે શુદ્ધ આત્મન્! ઇન્દ્રિયસમૂહ સાથે આ મન બાહ્ય પદાર્થો સાથે
સંબંધ રાખે છે, માટે જ તેનાથી કર્મ વધે છે. હું તે કર્મથી સદા અને સર્વ પ્રકારે ભિન્ન
છું અથવા આપના ચૈતન્યથી તે કર્મ સર્વથા ભિન્ન છે. અહીં પણ તે જ પૂર્વોક્ત (ચેતના-
ચેતનત્વ) કારણ છે. હે દેવ! મારી સ્થિતિ નિશ્ચયથી અહીં આપના વિષયમાં જ છે. ૨૩.
(शार्दूलविक्रीडित)
किं लोकेन किमाश्रयेण किमुत द्रव्येण कायेन किं
किं वाग्भिः किमुतेन्द्रियैः किमसुभिः किं तैर्विकल्पैरपि
सर्वे पुद्गलपर्यया बत परे त्वत्तः प्रमत्तो भव-
न्नात्मन्नेभिरभिश्रयस्यतितरामालेन किं बन्धनम्
।।२४।।
અનુવાદ : હે આત્મન્! તારે લોકથી, આશ્રયથી, દ્રવ્યથી, શરીરથી, વચનોથી,
ઇન્દ્રિયોથી, પ્રાણોથી અને તે વિકલ્પોથી પણ શું પ્રયોજન છે? અર્થાત્ એમનાથી તારે કાંઈ
પણ પ્રયોજન નથી. કારણ એ છે કે આ બધી પુદ્ગલની પર્યાયો છે જે તારાથી ભિન્ન છે.
ખેદ છે કે તું પ્રમાદી થઈને એમના દ્વારા વ્યર્થ જ શા માટે બંધનને પ્રાપ્ત થાય છે? ૨૪.
(शार्दूलविक्रीडित)
धर्माधर्मनभांसि काल इति मे नैवाहितं कुर्वते
चत्वारोऽपि सहायतामुपगतास्तिष्ठन्ति गत्यादिषु
एकः पुद्गल एव संनिधिगतो नोकर्मकर्माकृति-
वैरी बन्धकृदेष संप्रति मया भेदासिना खण्डितः
।।२५।।
અનુવાદ : ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારે દ્રવ્ય મારું કાંઈ પણ
અહિત કરતા નથી. તે ચારે તો ગતિ આદિ (સ્થિતિ, અવકાશ અને વર્તના) માં સહાયક
થઈને રહ્યા છે. પરંતુ કર્મ અને નોકર્મના સ્વરૂપે પરિણમેલ આ એક પુદ્ગલરૂપ શત્રુ
જ મારૂં સાન્નિધ્ય પામીને બંધનું કારણ થાય છે. તેથી મેં તેને આ વખતે ભેદ (વિવેક)
રૂપ તલવારથી ખંડિત કરી દીધું છે. ૨૫.
અધિકાર૯ઃ આલોચના ]૨૨૯