Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 26-28 (9. Aalochana).

< Previous Page   Next Page >


Page 230 of 378
PDF/HTML Page 256 of 404

 

background image
(शार्दूलविक्रीडित)
रागद्वेषकृतैर्यथा परिणमेद्रूपान्तरैः पुद्गलो
नाकाशादिचतुष्टयं विरहितं मूर्त्या तथा प्राणिनाम्
ताभ्यां कर्मघनं भवेदविरतं तस्मादियं संसृति-
स्तस्यां दुःखपरंपरेति विदुषा त्याज्यौ प्रयत्नेन तौ
।।२६।।
અનુવાદ : જેમ રાગ અને દ્વેષ દ્વારા કરવામાં આવેલા પરિણામાન્તરોથી
પુદ્ગલ દ્રવ્ય પરિણમે છે તેવી રીતે તે અમૂર્તિક આકાશાદિ ચાર દ્રવ્ય ઉક્ત
પરિણામાન્તરોથી પરિણમતા નથી. ઉક્ત રાગ અને દ્વેષથી નિરંતર પ્રાણીઓને સદા
કઠોર કર્મનો બંધ થાય છે તેનાથી (કર્મબંધથી) આ સંસાર થાય છે અને તે સંસારમાં
દુઃખોની પરંપરા પ્રાપ્ત થાય છે. આ કારણે વિદ્વાન પુરુષે પ્રયત્નપૂર્વક ઉક્ત રાગ
અને દ્વેષનો પરિત્યાગ કરવો જોઈએ. ૨૬.
(शार्दूलविक्रीडित)
किं बाह्येषु परेषु वस्तुषु मनः कृत्वा विकल्पान् बहून्
रागद्वेषमयान् मुधैव कुरुषे दुःखाय कर्माशुभम्
आनन्दामृतसागरे यदि वसस्यासाद्य शुद्धात्मनि
स्फीतं तत्सुखमेकतामुपगतं त्वं यासि रे निश्चितम्
।।२७।।
અનુવાદ : રે મન! તું બાહ્ય પર પદાર્થોમાં ઘણા રાગદ્વેષરૂપ વિકલ્પો કરીને
વ્યર્થ જ દુઃખના કારણભૂત અશુભ કર્મ શા માટે કરે છે? જો તું એકત્વ (અદ્વૈતભાવ)ને
પ્રાપ્ત થઈને આનંદરૂપ અમૃતના સમુદ્રભૂત શુદ્ધાત્મામાં નિવાસ કરે તો નિશ્ચયથી જ મહાન
સુખ પામી શકીશ. ૨૭.
(शार्दूलविक्रीडित)
इत्यास्थाय हृदि स्थिरं जिन भवत्पादप्रसादात्सती-
मध्यात्मैकतुलामयं जन इतः शुद्धयर्थमारोहति
एनं कर्तुममी च दोषिणमितः कर्मारयो दुर्धरा-
स्तिष्ठन्ति प्रसभं तदत्र भगवन् मध्यस्थसाक्षी भवान्
।।२८।।
૨૩૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ