Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 29-30 (9. Aalochana).

< Previous Page   Next Page >


Page 231 of 378
PDF/HTML Page 257 of 404

 

background image
અનુવાદ : હે જિન! હૃદયમાં આવો સ્થિર વિચાર કરીને આ મનુષ્ય શુદ્ધિ
માટે આપના ચરણોના પ્રસાદથી નિર્દોષ અધ્યાત્મરૂપી અદ્વિતીય ત્રાજવામાં એક
તરફ ચડે છે અને બીજી તરફ તેને દોષિત કરવા માટે આ દુર્જય કર્મરૂપી શત્રુ
બળપૂર્વક સ્થિત છે. તેથી હે ભગવાન્! આ વિષયમાં આપ મધ્યસ્થ (નિષ્પક્ષ)
સાક્ષી છો. ૨૮.
(शार्दूलविक्रीडित)
द्वैतं संसृतिरेव निश्चयवशादद्वैतमेवामृतं-
संक्षेपादुभयत्र जल्पितमिदं पर्यन्तकाष्ठागतम्
निर्गत्यादिपदाच्छनैः शबलितादन्यत्समालम्बते
यः सो ऽसंज्ञ इति स्फु टं व्यवहृतेर्ब्रह्मादिनामेति च
।।२९।।
અનુવાદ : નિશ્ચયથી દ્વૈત (આત્મપરનો ભેદ) જ સંસાર અને અદ્વૈત જ મોક્ષ
છે. આ એ બન્નેના વિષયમાં સંક્ષેપથી કથન છે જે ચરમ સીમાને પ્રાપ્ત છે. જે ભવ્ય
જીવ ધીરે ધીરે આ વિચિત્ર પ્રથમ (દ્વૈત) પદથી નીકળીને બીજા (અદ્વૈત) પદનો આશ્રય
કરે છે તે જો કે નિશ્ચયથી વાચ્ય
વાચકભાવનો અભાવ થઈ જવાના કારણે
સંજ્ઞા(નામ) રહિત થઈ જાય છે; છતાં પણ વ્યવહારથી તે બ્રહ્મા આદિ (પરબ્રહ્મ,
પરમાત્મા) નામને પ્રાપ્ત કરે છે. ૨૯.
(शार्दूलविक्रीडित)
चारित्रं यदमाणि केवलद्रशा देव त्वया मुक्त ये
पुंसा तत्खलु माद्रशेन विषमे काले कलौ दुर्धरम्
भक्ति र्या समभूदिह त्वयि दृढा पुण्यैः पुरोपार्जितैः
संसारार्णवतारणे जिन ततः सैवास्तु पोतो मम
।।३०।।
અનુવાદ : હે જિનદેવ! કેવળજ્ઞાની! આપે જે મુક્તિ માટે ચારિત્ર
બતાવ્યું છે તેને નિશ્ચયથી મારા જેવા પુરુષ આ વિષમ પંચમ કાળમાં ધારણ
કરી શકતો નથી. તેથી પૂર્વોપાર્જિત મહાન્ પુણ્યથી અહીં જે મારી આપના
વિષયમાં દ્રઢ ભક્તિ થઈ છે તે જ મને આ સંસારરૂપી સમુદ્રથી પાર થવા માટે
જહાજ સમાન થાય. ૩૦.
અધિકાર૯ઃ આલોચના ]૨૩૧