(शार्दूलविक्रीडित)
इन्द्रत्वं च निगोदतां च बहुधा मध्ये तथा योनयः
संसारे भ्रमता चिरं यदखिलाः प्राप्ता मयानन्तशः ।
तन्नापूर्वमिहास्ति किंचिदपि मे हित्वा विमुक्ति प्रदां
सम्यग्दर्शनबोधवृत्तिपदवीं तां देव पूर्णां कुरु ।।३१।।
અનુવાદ : હે દેવ! મેં ચિરકાળ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર
ઇન્દ્રપદ, નિગોદ પર્યાય તથા વચમાં પણ બીજા જે સમસ્ત અનંત ભવ પ્રાપ્ત કર્યા
છે તેમાં મુક્તિ આપનાર સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ પરિણતિ
સિવાય બીજા કોઈ પણ અપૂર્વ નથી. તેથી રત્નત્રયસ્વરૂપ જે પદવી હજી સુધી
મેં કદી પ્રાપ્ત કરી નથી તે અપૂર્વ પદવી પૂર્ણ કરો. ૩૧.
(शार्दूलविक्रीडित)
श्रीवीरेण मम प्रसन्नमनसा तत्किंचिदुच्चैः पद-
प्राप्त्यर्थं परमोपदेशवचनं चित्ते समारोपितम् ।
येनास्तामिदमेकभूतलगतं राज्यं क्षणध्वंसि यत्
त्रैलोक्यस्य च तन्न मे प्रियमिह श्रीमज्जिनेश प्रभो ।।३२।।
અનુવાદ : હે જિનેન્દ્ર પ્રભો! શ્રી વીર ભગવાને (અથવા શ્રી વીરનન્દી
ગુરુએ) પ્રસન્નચિત્ત થઈને ઉચ્ચ પદ (મોક્ષ)ની પ્રાપ્તિ માટે જે મારા ચિત્તમાં
થોડા ઉત્તમ ઉપદેશરૂપ વચનોનું આરોપણ કર્યું છે તેના પ્રભાવથી ક્ષણનશ્વર જે
એક પૃથ્વીનું રાજ્ય છે તે તો દૂર રહો, પરંતુ મને તે ત્રણ લોકનું રાજ્ય પણ
અહીં પ્રિય નથી. ૩૨.
(शार्दूलविक्रीडित)
सूरेः पङ्कजनन्दिनः कृतिमिमामालोचनामर्हता-
मग्रे यः पठति त्रिसंध्यममलश्रद्धानताङ्गो नरः ।
योगीन्द्रैश्चिरकालरूढतपसा यत्नेन यन्मृग्यते
तत्प्राप्नोति परं पदं स मतिमानानन्दसद्म ध्रुवम् ।।३३।।
૨૩૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ