અનુવાદ : જે બુદ્ધિમાન મનુષ્ય નિર્મળ શ્રદ્ધાથી પોતાના શરીરને નમ્રીભૂત
કરીને ત્રણે સંધ્યાકાળે અર્હંત્ ભગવાન આગળ શ્રી પદ્મનન્દિ સૂરિ દ્વારા વિરચિત આ આલોચનારૂપ પ્રકરણ ભણે છે તે નિશ્ચયથી આનંદના સ્થાનભૂત તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરે છે જેને યોગીશ્વર તપશ્ચરણ દ્વારા પ્રયત્નપૂર્વક ચિરકાળથી શોધ્યા કરે છે. ૩૩.