Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 5-8 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 236 of 378
PDF/HTML Page 262 of 404

 

background image
(रथोद्धता)
विश्ववस्तुविधृतिक्षमं लासज्जालमन्तपरिवर्जितं गिराम्
अस्तमेत्यखिलमेकहेलया यत्र तज्जयति चिन्मयं महः ।।।।
અનુવાદ : જે ચિદ્રૂપ તેજ સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરવામાં સમર્થ છે,
દૈદીપ્યમાન છે, અંત રહિત અર્થાત્ અવિનશ્વર છે તથા જેના વિષયમાં સમસ્ત વચનોનો
સમૂહ ક્રીડામાત્રથી જ નાશ પામે છે અર્થાત્ જે વચનનો અવિષય છે; તે ચિદ્રૂપ તેજ
જયવંત હો. ૫.
(रथोद्धता)
नो विकल्परहितं चिदात्मकं वस्तु जातु मनसो ऽपि गोचरम्
कर्मजाश्रितविकल्परूपिणः का कथा तु वपुषो जडात्मनः ।।।।
અનુવાદ : તે ચૈતન્યરૂપ તત્ત્વ સર્વ પ્રકારના વિકલ્પ રહિત છે અને ત્યાં તે
મન કર્મજનિત રાગદ્વેષના આશ્રયે થનારા વિકલ્પ સ્વરૂપ છે. તેથી જ્યારે તે ચૈતન્ય
તત્ત્વ તે મનનો પણ વિષય નથી તો પછી જડસ્વરૂપ (અચેતન) શરીરની તો વાત
જ શી છે?
તેનો તો વિષય તે કદી થઈ જ શકતું નથી. ૬.
(रथोद्धता)
चेतसो न वचसोऽपि गोचरस्तर्हि नास्ति भविता खपुष्पवत्
शङ्कनीयमिदमत्र नो यतः स्वानुभूतिविषयस्ततो ऽस्ति तत् ।।।।
અનુવાદ : જો તે ચૈતન્યરૂપ તેજ મન અને વચનનો પણ વિષય ન હોય
તો તે આકાશના ફૂલ સમાન અસત્ થઈ જશે એવી પણ અહીં આશંકા ન કરવી
જોઈએ કારણ કે તે સ્વાનુભવનો વિષય છે. તેથી તે સત્ જ છે, નહિ કે અસત્.
૭.
(रथोद्धता)
नूनमत्र परमात्मनि स्थितं स्वान्तमन्तमुपयाति तद्बहिः
तं विहाय सततं भ्रमत्यदः को बिभेति मरणान्न भूतले ।।।।
અનુવાદ : અહીં પરમાત્મામાં સ્થિત થયેલું મન નિશ્ચયથી મરણને પ્રાપ્ત થઈ
જાય છે. તેથી તે તેને (પરમાત્માને) છોડીને નિરંતર બાહ્ય પદાર્થોમાં વિચરે છે.
૨૩૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ