(रथोद्धता)
विश्ववस्तुविधृतिक्षमं लासज्जालमन्तपरिवर्जितं गिराम् ।
अस्तमेत्यखिलमेकहेलया यत्र तज्जयति चिन्मयं महः ।।५।।
અનુવાદ : જે ચિદ્રૂપ તેજ સમસ્ત વસ્તુઓને પ્રકાશિત કરવામાં સમર્થ છે,
દૈદીપ્યમાન છે, અંત રહિત અર્થાત્ અવિનશ્વર છે તથા જેના વિષયમાં સમસ્ત વચનોનો
સમૂહ ક્રીડામાત્રથી જ નાશ પામે છે અર્થાત્ જે વચનનો અવિષય છે; તે ચિદ્રૂપ તેજ
જયવંત હો. ૫.
(रथोद्धता)
नो विकल्परहितं चिदात्मकं वस्तु जातु मनसो ऽपि गोचरम् ।
कर्मजाश्रितविकल्परूपिणः का कथा तु वपुषो जडात्मनः ।।६।।
અનુવાદ : તે ચૈતન્યરૂપ તત્ત્વ સર્વ પ્રકારના વિકલ્પ રહિત છે અને ત્યાં તે
મન કર્મજનિત રાગ – દ્વેષના આશ્રયે થનારા વિકલ્પ સ્વરૂપ છે. તેથી જ્યારે તે ચૈતન્ય
તત્ત્વ તે મનનો પણ વિષય નથી તો પછી જડસ્વરૂપ (અચેતન) શરીરની તો વાત
જ શી છે? – તેનો તો વિષય તે કદી થઈ જ શકતું નથી. ૬.
(रथोद्धता)
चेतसो न वचसोऽपि गोचरस्तर्हि नास्ति भविता खपुष्पवत् ।
शङ्कनीयमिदमत्र नो यतः स्वानुभूतिविषयस्ततो ऽस्ति तत् ।।७।।
અનુવાદ : જો તે ચૈતન્યરૂપ તેજ મન અને વચનનો પણ વિષય ન હોય
તો તે આકાશના ફૂલ સમાન અસત્ થઈ જશે એવી પણ અહીં આશંકા ન કરવી
જોઈએ કારણ કે તે સ્વાનુભવનો વિષય છે. તેથી તે સત્ જ છે, નહિ કે અસત્.
૭.
(रथोद्धता)
नूनमत्र परमात्मनि स्थितं स्वान्तमन्तमुपयाति तद्बहिः ।
तं विहाय सततं भ्रमत्यदः को बिभेति मरणान्न भूतले ।।८।।
અનુવાદ : અહીં પરમાત્મામાં સ્થિત થયેલું મન નિશ્ચયથી મરણને પ્રાપ્ત થઈ
જાય છે. તેથી તે તેને (પરમાત્માને) છોડીને નિરંતર બાહ્ય પદાર્થોમાં વિચરે છે.
૨૩૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ