Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12-14 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 238 of 378
PDF/HTML Page 264 of 404

 

background image
(रथोद्धता)
भूरिधर्मयुतमप्यबुद्धिमानन्धहस्तिविधिनावबुध्य यत्
भ्राम्यति प्रचुरजन्मसंकटे पातु वस्तदतिशायि चिन्महः ।।१२।।
અનુવાદ : અજ્ઞાની જીવ અનેક ધર્મોવાળા જે ચેતન તત્ત્વને અંધહસ્તિ
ન્યાયથી જાણીને અનેક જન્મમરણથી ભયાનક આ સંસારમાં પરિભ્રમણ કરે છે તે
અનુપમ ચેતન તત્ત્વરૂપ તેજ આપ સર્વેનું રક્ષણ કરો.
વિશેષાર્થ : જેવી રીતે આંધળો મનુષ્ય હાથીનો યથાર્થ આકાર ન જાણતાં તેના જે
અવયવ (પગ કે સૂંઢ વગેરે) નો સ્પર્શ કરે છે તેને જ હાથી સમજી લે છે, તેવી જ રીતે મિથ્યાદ્રષ્ટિ
જીવ અનેક ધર્મયુક્ત તે ચેતન તત્ત્વને યથાર્થ સ્વરૂપે ન જાણતાં એકાંતે કોઈ એક જ ધર્મસ્વરૂપ
સમજી લે છે. એ જ કારણે તે જન્મ
મરણસ્વરૂપ આ સંસારમાં જ પરિભ્રમણ કરીને દુઃખ સહન
કરે છે. ૧૨.
(रथोद्धता)
कर्मबन्धकलितो ऽप्यबन्धनो रागद्वेषमलिनो ऽपि निर्मलः
देहवानपि च देहवर्जितश्चित्रमेतदखिलं किलात्मनः ।।१३।।
અનુવાદ : આ આત્મા કર્મબંધ સહિત હોવા છતાં પણ બંધન રહિત છે,
રાગદ્વેષથી મલિન હોવા છતાં પણ નિર્મળ છે તથા શરીર સાથે સંબંધવાળો હોવા
છતાં પણ તે શરીર રહિત છે. આ રીતે આ બધું આત્માનું સ્વરૂપ આશ્ચર્યજનક છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે શુદ્ધ નિશ્ચયનયથી આ આત્માને ન રાગ-દ્વેષ પરિણામ
છે, ન કર્મોનો બંધ છે અને ન શરીરે ય છે. તે વાસ્તવમાં વીતરાગ, સ્વાધીન અને અશરીર હોઈને
સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયસ્વરૂપે તે કર્મબંધ સહિત હોઈને રાગ
દ્વેષથી મલિન અને શરીર સહિત
માનવામાં આવે છે. ૧૩.
(रथोद्धता)
निर्विनाशमपि नाशमाश्रितं शून्यमप्यतिशयेन संभृतम्
एकमेव गतमप्यनेकतां तत्त्वमीद्रगपि नो विरुध्यते ।।१४।।
અનુવાદ : તે આત્મતત્ત્વ વિનાશ રહિત હોવા છતાં પણ નાશને પ્રાપ્ત છે, શૂન્ય
હોવા છતાં પણ અતિશયથી પરિપૂર્ણ છે તથા એક હોવા છતાં પણ અનેકતાને પ્રાપ્ત છે.
આ રીતે નયવિવક્ષાથી એમ માનવામાં કાંઈ પણ વિરોધ આવતો નથી. ૧૪.
૨૩[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ