Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 19-22 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 240 of 378
PDF/HTML Page 266 of 404

 

background image
(रथोद्धता)
कर्म चाहमिति च द्वये सति द्वैतमेतदिह जन्मकारणम्
एक इत्यपि मतिः सती न यत्साप्युपाधिरचिता तदङ्गभृत् ।।१९।।
અનુવાદ : હે પ્રાણી! ‘કર્મ અને હું’ આવા પ્રકારની બે પદાર્થોની કલ્પના
થતાં જે અહીં દ્વૈતબુદ્ધિ થાય છે તે સંસારનું કારણ છે. તથા ‘હું એક છું’ એ જાતનો
વિકલ્પ પણ યોગ્ય નથી કારણ કે તે પણ ઉપાધિથી નિર્મિત હોવાના કારણે સંસારનું
જ કારણ થાય છે. ૧૯.
(रथोद्धता)
संविशुद्धपरमात्मभावना संविशुद्धपदकारणं भवेत्
सेतरेतकृते सुवर्णतो लोहतश्च विकृतीस्तदाश्रिते ।।२०।।
અનુવાદ : અતિશય વિશુદ્ધ પરમાત્મતત્ત્વની જે ભાવના છે તે અતિશય
નિર્મળ મોક્ષપદનું કારણ થાય છે. તથા એનાથી વિપરીત જે ભાવના છે તે સંસારનું
કારણ થાય છે. બરાબર છે
સુવર્ણથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે સુવર્ણમય અને
લોહથી જે પર્યાય ઉત્પન્ન થાય છે તે લોહમય હોય છે. ૨૦.
(रथोद्धता)
कर्म भिन्नमनिशं स्वतो ऽखिलं पश्यतो विशदबोधचक्षुषा
तत्कृते ऽपि परमार्थवेदिनो योगिनो न सुखदुःखकल्पना ।।२१।।
અનુવાદ : સમસ્ત કર્મ મારાથી ભિન્ન છે, આ રીતે નિરંતર નિર્મળ જ્ઞાનરૂપ નેત્રથી
દેખનારા અને યથાર્થ સ્વરૂપના વેત્તા યોગીને કર્મકૃત સુખદુઃખ હોવા છતાં પણ તેને ઉક્ત સુખ
દુઃખની કલ્પના હોતી નથી. ૨૧.
(रथोद्धता)
मानसस्य गतिरस्ति चेन्निरालम्ब एव पथि भास्वतो यथा
योगिनो द्रगवरोधकारकः संनिधिर्न तमसां कदाचन ।।२२।।
અનુવાદ : જો યોગીના મનની ગતિ સૂર્ય સમાન નિરાધાર માર્ગમાં જ હોય
તો તેને જોવામાં બાધા ઉત્પન્ન કરનાર અંધકાર (અજ્ઞાન) ની સમીપતા કદી પણ
હોઈ શકે નહિ.
૨૪૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ