Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 23-26 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 241 of 378
PDF/HTML Page 267 of 404

 

background image
વિશેષાર્થ : જેવી રીતે નિરાધાર આકાશમાર્ગે ગમન કરનાર સૂર્ય રહે ત્યારે અંધકાર
કોઈ રીતે બાધા પહોંચાડી શકતો નથી તેવી જ રીતે સમસ્ત માનસિક વિકલ્પોથી રહિત આત્મતત્ત્વમાં
સંચાર કરનાર યોગીના તત્ત્વદર્શનમાં અજ્ઞાન
અંધકાર પણ બાધા પહોંચાડી શકતો નથી. ૨૨.
(रथोद्धता)
रुग्जरादिविकृतिर्न मे ऽञ्जसा सा तनोरहमितः सदा पृथक्
मीलितेऽपि सति खे विकारिता जायते न जलदैर्विकारिभिः ।।२३।।
અનુવાદ : રોગ અને જરા આદિ રૂપ વિકાર વાસ્તવમાં મારા નથી, તે તો
શરીરના વિકાર છે અને હું તે શરીરથી સંબદ્ધ હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી
સર્વદા ભિન્ન છું. ઠીક છે
વિકાર ઉત્પન્ન કરનાર વાદળાઓ સાથે આકાશનો મેળાપ
થવા છતાં પણ તેમાં કોઈ પ્રકારનો વિકારભાવ ઉત્પન્ન થતો નથી. ૨૩.
(रथोद्धता)
व्याधिनाङ्गमभिभूयते परं तद्गतो ऽपि न पुनश्चिदात्मकः
उत्थितेन गृहमेव दह्यते वह्निना न गगनं तदाश्रितम् ।।२४।।
અનુવાદ : રોગ કેવળ શરીરને પરાધીન કરે છે પણ તેમાં સ્થિત હોવા છતાં
ચેતન આત્માને પરાધીન કરતો નથી. બરાબર છેઉત્પન્ન થયેલી અગ્નિ કેવળ ઘરને
જ બાળે છે, પરંતુ તેના આશ્રયભૂત આકાશને બાળતી નથી. ૨૪
(रथोद्धता)
बोधरूपमखिलैरुपाधिभिर्वर्जितं किमपि यत्तदेव नः
नान्यदल्पमपि तत्त्वमीद्रशं मोक्षहेतुरिति योगनिश्चयः ।।२५।।
અનુવાદ : સમસ્ત ઉપાધિથી રહિત જે કાંઈ પણ જ્ઞાનરૂપ છે તે જ અમારૂં
સ્વરૂપ છે, તેનાથી ભિન્ન જરાય તત્ત્વ અમારૂં નથી; આ જાતનો યોગનો નિશ્ચય
મોક્ષનું કારણ થાય છે. ૨૫.
(रथोद्धता)
योगतो हि लभते विबन्धनं योगतो ऽपि किल मुच्यते नरः
योगवर्त्म विषमं गुरोर्गिरा बोध्यमेतदखिलं मुमुक्षुणा ।।२६।।
અધિકાર૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૧