Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 30-31 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 243 of 378
PDF/HTML Page 269 of 404

 

background image
થઈ જાય છે. આ રીતે તેને નારકાદિ પર્યાય જનિત દુઃખ નષ્ટ થઈ જવાથી અપૂર્વ શાંતિનો
લાભ થાય છે. ૨૯.
(रथोद्धता)
निश्चयावगमनस्थितित्रयं रत्नसंचितिरियं परात्मनि
योगद्रष्टिविषयीभवन्नसौ निश्चयेन पुनरेक एव हि ।।३०।।
અનુવાદ : પરમાત્માના વિષયમાં જે નિશ્ચય, જ્ઞાન અને સ્થિરતા થાય
છે; એ ત્રણેનું નામ જ રત્નસંચય છે. તે પરમાત્મા યોગરૂપ નેત્રનો વિષય છે.
નિશ્ચયનયની અપેક્ષાએ તે રત્નત્રયસ્વરૂપ આત્મા એક જ છે, તેમાં
સમ્યગ્દર્શનાદિનો ભેદ પણ દ્રષ્ટિગોચર થતો નથી.
વિશેષાર્થ : સમ્યગ્દર્શનાદિના સ્વરૂપનો વિચાર નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ
બે પ્રકારે કરવામાં આવે છે. જેમ કેજીવાદિ સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન કરવું. એ વ્યવહાર
સમ્યગ્દર્શન છે. ઉક્ત જીવાદિ તત્ત્વોનું જે યથાર્થ જ્ઞાન હોય છે, તેને વ્યવહાર સમ્યગ્જ્ઞાન
કહે છે. પાપરૂપ ક્રિયાઓના પરિત્યાગને વ્યવહાર સમ્યક્ ચારિત્ર કહેવામાં આવે છે. આ
વ્યવહારની અપેક્ષાએ તેમના સ્વરૂપનો વિચાર થયો. નિશ્ચયનયની અપેક્ષાએ તેમનું સ્વરૂપ આ
રીતે છે. શુદ્ધ આત્માના વિષયમાં રુચિ ઉત્પન્ન થવી તે નિશ્ચય સમ્યગ્દર્શન, તે જ આત્માના
સ્વરૂપને જાણવું તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને ઉક્ત આત્મામાં જ લીન થવું એ નિશ્ચય ચારિત્ર
કહેવાય છે. આમાં વ્યવહાર જ્યાં સુધી નિશ્ચયનો સાધક છે ત્યાંસુધી જ તે ઉપાદેય છે,
વાસ્તવમાં તે અસત્યાર્થ હોવાથી હેય જ છે. ઉપાદેય કેવળ નિશ્ચય જ છે, કેમકે તે યથાર્થ
છે. અહીં નિશ્ચય રત્નત્રયના સ્વરૂપનું જ દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે નિર્મળ ધ્યાનની
અપેક્ષા રાખે છે. ૩૦.
(रथोद्धता)
प्रेरिताः श्रुतगुणेन शेमुषीकार्मुकेण शरवद् दृगादयः
बाह्यवेध्यविषये कृतश्रमाश्चिद्रणे प्रहतकर्मशत्रवः ।।३१।।
અનુવાદઃઆગમરૂપ દોરીથી સંયુક્ત એવા બુદ્ધિરૂપ ધનુષ્યથી પ્રેરિત
સમ્યગ્દર્શનાદિરૂપ બાણ ચૈતન્યરૂપ રણમાં બાહ્ય પદાર્થરૂપ લક્ષ્યના વિષયમાં પરિશ્રમ
કરીને કર્મરૂપ શત્રુઓનો નાશ કરી નાખે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જેવી રીતે રણભૂમિમાં દોરીથી સુસજજ ધનુષ્ય દ્વારા
છોડવામાં આવેલ બાણ લક્ષ્યભૂત શત્રુઓને વીંધીને તેમનો નાશ કરી નાખે છે તેવી જ રીતે અહીં
અધિકાર૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૩