Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 32-35 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 244 of 378
PDF/HTML Page 270 of 404

 

background image
ચૈતન્યરૂપી રણભૂમિમાં આગમાભ્યાસરૂપી દોરીથી બુદ્ધિરૂપી ધનુષ્યને સજ્જ કરી તેની પ્રેરણાથી પ્રાપ્ત
થયેલા સમ્યગ્દર્શનાદિરૂપી બાણો દ્વારા કર્મરૂપી શત્રુ પણ નષ્ટ કરી દેવામાં આવે છે. ૩૧.
(रथोद्धता)
चित्तवाच्यकरणीयवर्जिता निश्चयेन मुनिवृत्तिरीद्रशी
अन्यथा भवति कर्मगौरवात् सा प्रमादपदवीमुपेयुषः ।।३२।।
અનુવાદ : નિશ્ચયથી મુનિની વૃત્તિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રહિત
એવી હોય છે. તાત્પર્ય એ છે કે તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત
હોય છે. પરંતુ પ્રમાદ અવસ્થા પામેલા મુનિને કર્મની અધિકતાને કારણે તે (મુનિવૃતિ)
આનાથી વિપરીત અર્થાત્ ઉપર્યુક્ત ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. ૩૨.
(रथोद्धता)
सत्समाधिशशलाञ्छनोदयादुल्लसत्यमलबोधवारिधिः
योगिनो ऽणुसद्रशं विभाव्यते यत्र मग्नमखिलं चराचरम् ।।३३।।
અનુવાદ : સમીચીન સમાધિરૂપ ચન્દ્રમાના ઉદયથી હર્ષિત થઈને યોગીનો
નિર્મળ જ્ઞાનરૂપ સમુદ્ર વૃદ્ધિ પામે છે, જેમાં ડૂબેલું આ સમસ્ત ચરાચર વિશ્વ અણુ-
સમાન પ્રતિભાસે છે. ૩૩.
(रथोद्धता)
कर्मशुष्कतृणराशिरुन्नतो ऽप्युद्गते शुचिसमाधिमारुतात्
भेदबोधदहने हृदि स्थिते योगिनो झटिति भस्मसाद्भवेत् ।।३४।।
અનુવાદ : પવિત્ર સમાધિરૂપ વાયુ દ્વારા યોગીના હૃદયમાં સ્થિત
ભેદજ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્વલિત થતાં તેમાં કર્મરૂપી સૂકા ઘાસનો ઊંચો ઢગલો પણ
તરત જ ભસ્મ થઈ જાય છે. ૩૪.
(रथोद्धता)
चित्तमत्तकरिणा न चेद्धतो दुष्टबोधवह्निनाथवा
योगकल्पतरुरेष निश्चितं वाञ्छितं फलति मोक्षसत्फलम् ।।३५।।
અનુવાદ : જો તે યોગરૂપી કલ્પવૃક્ષ ઉન્મત્ત હાથી દ્વારા અથવા
૨૪૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ