ચૈતન્યરૂપી રણભૂમિમાં આગમાભ્યાસરૂપી દોરીથી બુદ્ધિરૂપી ધનુષ્યને સજ્જ કરી તેની પ્રેરણાથી પ્રાપ્ત
થયેલા સમ્યગ્દર્શનાદિરૂપી બાણો દ્વારા કર્મરૂપી શત્રુ પણ નષ્ટ કરી દેવામાં આવે છે. ૩૧.
(रथोद्धता)
चित्तवाच्यकरणीयवर्जिता निश्चयेन मुनिवृत्तिरीद्रशी ।
अन्यथा भवति कर्मगौरवात् सा प्रमादपदवीमुपेयुषः ।।३२।।
અનુવાદ : નિશ્ચયથી મુનિની વૃત્તિ મન, વચન અને કાયાની પ્રવૃત્તિ રહિત
એવી હોય છે. તાત્પર્ય એ છે કે તે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત
હોય છે. પરંતુ પ્રમાદ અવસ્થા પામેલા મુનિને કર્મની અધિકતાને કારણે તે (મુનિવૃતિ)
આનાથી વિપરીત અર્થાત્ ઉપર્યુક્ત ત્રણ ગુપ્તિઓથી રહિત હોય છે. ૩૨.
(रथोद्धता)
सत्समाधिशशलाञ्छनोदयादुल्लसत्यमलबोधवारिधिः ।
योगिनो ऽणुसद्रशं विभाव्यते यत्र मग्नमखिलं चराचरम् ।।३३।।
અનુવાદ : સમીચીન સમાધિરૂપ ચન્દ્રમાના ઉદયથી હર્ષિત થઈને યોગીનો
નિર્મળ જ્ઞાનરૂપ સમુદ્ર વૃદ્ધિ પામે છે, જેમાં ડૂબેલું આ સમસ્ત ચરાચર વિશ્વ અણુ-
સમાન પ્રતિભાસે છે. ૩૩.
(रथोद्धता)
कर्मशुष्कतृणराशिरुन्नतो ऽप्युद्गते शुचिसमाधिमारुतात् ।
भेदबोधदहने हृदि स्थिते योगिनो झटिति भस्मसाद्भवेत् ।।३४।।
અનુવાદ : પવિત્ર સમાધિરૂપ વાયુ દ્વારા યોગીના હૃદયમાં સ્થિત
ભેદજ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્વલિત થતાં તેમાં કર્મરૂપી સૂકા ઘાસનો ઊંચો ઢગલો પણ
તરત જ ભસ્મ થઈ જાય છે. ૩૪.
(रथोद्धता)
चित्तमत्तकरिणा न चेद्धतो दुष्टबोधवह्निनाथवा ।
योगकल्पतरुरेष निश्चितं वाञ्छितं फलति मोक्षसत्फलम् ।।३५।।
અનુવાદ : જો તે યોગરૂપી કલ્પવૃક્ષ ઉન્મત્ત હાથી દ્વારા અથવા
૨૪૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ