(रथोद्धता)
यस्तु हेयमितरच्च भावयन्नाद्यतो हि परमाप्तुमीहते ।
तस्य बुद्धिरुपदेशतो गुरोराश्रयेत्स्वपदमेव निश्चलम् ।।३९।।
અનુવાદ : જે ભવ્ય જીવ હેય અને ઉપાદેયનો વિચાર કરતો થકો પહેલાની
(હેયની) અપેક્ષાએ બીજી (ઉપાદેય) ને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેની બુદ્ધિ ગુરુના
ઉપદેશથી સ્થિર આત્મપદ (મોક્ષ)ને જ પ્રાપ્ત કરે છે. ૩૯.
(रथोद्धता)
सुप्त एष बहुमोहनिद्रया लङ्द्यितः स्वमबलादि पश्यति ।
जाग्रतोच्चवचसा गुरोर्गतं संगतं सकलमेव द्रश्यते ।।४०।।
અનુવાદ : મોહરૂપી ગાઢ નિદ્રાને વશીભૂત થઈને સૂતેલો આ જીવ સ્ત્રી –
પુત્રાદિ બાહ્ય વસ્તુઓને પોતાની સમજે છે. તે જ્યારે ગુરુના ઊંચા વચન અર્થાત્
ઉપદેશથી જાગી ઉઠે છે ત્યારે સંયોગને પ્રાપ્ત થયેલ તે બધા જ બાહ્ય પદાર્થોને નશ્વર
સમજવા માંડે છે. ૪૦.
(रथोद्धता)
जल्पितेन बहुना किमाश्रयेद् बुद्धिमानमलयोगसिद्धये ।
साम्यमेव सकलैरूपाधिभिः कर्मजालजनितैर्विवर्जितम् ।।४१।।
અનુવાદ : ઘણું કહેવાથી શું? બુદ્ધિમાન મનુષ્યે નિર્મળ યોગની સિદ્ધિ માટે
કર્મસમૂહથી ઉત્પન્ન થયેલ સમસ્ત ઉપાધિ રહિત એક માત્ર સમતાભાવનો જ આશ્રય
કરવો જોઈએ. ૪૧.
(रथोद्धता)
नाममात्रकथया परात्मनो भूरिजन्मकृतपापसंक्षयः ।
बोध वृत्तरुचयस्तु तद्गताः कुर्वते हि जगतां पतिं नरम् ।।४२।।
અનુવાદ : પરમાત્માના નામ માત્રની કથાથી જ અનેક જન્મોમાં સંચિત કરેલા
પાપોનો નાશ થાય છે. તથા ઉક્ત પરમાત્મામાં સ્થિત જ્ઞાન, ચારિત્ર અને સમ્યગ્દર્શન
મનુષ્યને જગતનો અધીશ્વર બનાવી દે છે. ૪૨.
૨૪૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ