Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 43-46 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 247 of 378
PDF/HTML Page 273 of 404

 

background image
(रथोद्धता)
चित्स्वरूपपदलीनमानसो यः सदा स किल योगिनायकः
जीवराशिरखिलश्चिदात्मको दर्शनीय इति चात्मसंनिभिः ।।४३।।
અનુવાદ : જે મુનિનું મન ચૈતન્યસ્વરૂપમાં લીન થાય છે તે યોગીઓમાં શ્રેષ્ઠ
થઈ જાય છે. સમસ્ત જીવરાશિ ચૈતન્યસ્વરૂપ છે માટે તેમને પોતાના સમાન જ ગણવા
જોઈએ. ૪૩.
(रथोद्धता)
अन्तरङ्गबहिरङ्गयोगतः कार्यसिद्धिरखिलेति योगिना
आसितव्यमनिशं प्रयत्नतः स्वं परं सद्रशमेव पश्यता ।।४४।।
અનુવાદ : સર્વ કાર્યોની સિદ્ધિ અંતરંગ અને બહિરંગ યોગથી થાય છે. તેથી
યોગીએ નિરંતર પ્રયત્નપૂર્વક સ્વ અને પરને સમદ્રષ્ટિથી દેખતા રહેવું જોઈએ.
વિશેષાર્થ : યોગ શબ્દના બે અર્થ છેમન, વચન અને કાયાની પ્રવૃત્તિ અને સમાધિ.
એમાં મન, વચન અને કાયની પ્રવૃત્તિરૂપ જે યોગ છે તે બે પ્રકારનો છેશુભ અને અશુભ. આમાં
શુભ યોગથી પુણ્ય અને અશુભ યોગથી પાપનો આસ્રવ થાય છે અને તે પ્રમાણે જ જીવને સાંસારિક
સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. આ બન્નેય પ્રકારના યોગ શરીર સાથે સંબદ્ધ હોવાના કારણે
બહિરંગ કહેવાય છે. અંતરંગ યોગ સમાધિ છે. એનાથી જીવને અવિનશ્વર પદની પ્રાપ્તિ થાય છે.
અહીં ગ્રન્થકર્તાએ સ્વ અને પરમાં સમબુદ્ધિ રાખતા યોગીને આ અંતરંગ યોગમાં સ્થિત રહેવા
તરફ સંકેત કર્યો છે. ૪૪.
(रथोद्धता)
लोक एष बहुभावभावितः स्वार्जितेन विविधेन कर्मणा
पश्यतोऽस्य विकृतीर्जडात्मनः क्षोभमेति हृदयं न योगिनः ।।४५।।
અનુવાદ : આ જનસમૂહ પોતાના કમાયેલા અનેક પ્રકારના કર્મ અનુસાર અનેક
અવસ્થાઓ પામે છે. તે અજ્ઞાનીના વિકારો જોઈને યોગીનું મન ક્ષોભ પામતું નથી. ૪૫.
(रथोद्धता)
सुप्त एष बहुमोहनिद्रया दीर्घकालमविरामया जनः
शास्त्रमेतदधिगम्य सांप्रतं सुप्रबोध इह जायतामिति ।।४६।।
અધિકાર૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૭