Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 47-49 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 248 of 378
PDF/HTML Page 274 of 404

 

background image
અનુવાદ : આ પ્રાણી નિરંતર રહેનારી મોહરૂપ ગાઢ નિદ્રાથી ઘણા કાળ
સુધી સૂતો છે. હવે તેણે અહીં આ શાસ્ત્રનો અભ્યાસ કરીને જાગૃત (સમ્યગ્જ્ઞાની)
થઈ જવું જોઈએ. ૪૬.
(रथोद्धता)
चित्स्वरूपगगने जयत्यसावेकदेशविषयापि रम्यता
ईषदुद्गतवचःकरैः परैः पद्मनन्दिवदनेन्दुना कृता ।।४७।।
અનુવાદ : પદ્મનંદી મુનિના મુખરૂપ ચંદ્રમા દ્વારા કિંચિત્ ઉદય પામેલા ઉત્કૃષ્ટ
વચનરૂપ કિરણોથી કરવામાં આવેલી તે રમણીયતા એક દેશનો વિષય કરતી હોવા
છતાં પણ ચૈતન્યરૂપ આકાશમાં જયવંત હો. ૪૭.
(शार्दूलविक्रीडित)
त्यक्ताशेषपरिग्रहः शमधनो गुप्तित्रयालंकृतः
शुद्धात्मानमुपाश्रितो भवति यो योगी निराशस्ततः
मोक्षो हस्तगतो ऽस्य निर्मलमतेरेतावतैव ध्रुवं
प्रत्यूहं कुरुते स्वभावविषमो मोहो व वैरी यदि
।।४८।।
અનુવાદ : જે યોગીએ સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ કરી દીધો છે, જે
શાંતિરૂપ સંપત્તિ સહિત છે, ત્રણ ગુપ્તિઓથી અલંકૃત છે તથા શુદ્ધ આત્મસ્વરૂપને
પ્રાપ્ત કરીને આશા રહિત (ઇચ્છા કે તૃણા રહિત) થઈ ગયા છે તેના માર્ગમાં
સ્વભાવથી દુષ્ટ તે મોહરૂપી શત્રુ જો વિધ્ન ન કરે તો એટલા માત્રથી જ મોક્ષ
આ નિર્મળબુદ્ધિ યોગીના હાથમાં સ્થિત (છે એમ) સમજવું જોઈએ. ૪૮.
(शार्दूलविक्रीडित)
त्रैलोक्ये किमिहास्ति को ऽपि स सुरः किं वा नरः किं फणी
यस्माद्भीर्मम यामि कातरतया यस्याश्रयं चापदि
उक्तं यत्परमेश्वरेण गुरुणा निःशेषवाञ्छाभयं
भ्रान्तिक्लेशहरं हृदि स्फु रति चेत्तत्तत्त्वमत्यद्भुतम्
।।४९।।
અનુવાદ : મહાન પરમેશ્વર દ્વારા કહેવામાં આવેલું જે ચૈતન્યતત્ત્વ સમસ્ત
ઇચ્છા, ભય, ભ્રાન્તિ અને ક્લેશ દૂર કરે છે તે આશ્ચર્યજનક ચૈતન્યતત્ત્વ જો હૃદયમાં
૨૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ