Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 50 (10. Sadabodhachandroday).

< Previous Page   Next Page >


Page 249 of 378
PDF/HTML Page 275 of 404

 

background image
પ્રકાશમાન છે તો પછી ત્રણે લોકમાં અહીં શું એવો કોઈ દેવ છે, એવો કોઈ મનુષ્ય
છે અથવા એવો કોઈ સર્પ છે; જેનાથી મને ભય ઉત્પન્ન થાય અથવા આપત્તિ આવતાં
હું ડરી જઈને તેના શરણે જાઉં? અર્થાત્ ઉપર્યુક્ત ચૈતન્યસ્વરૂપ હૃદયમાં સ્થિત રહેતાં
કદી કોઈનો ભય રહેતો નથી અને તેથી કોઈના શરણે જવાની પણ આવશ્યકતા રહેતી
નથી. ૪૯.
(शार्दूलविक्रीडित)
तत्त्वज्ञानसुधार्णवं लहरिभिर्दूरं समुल्लासयन्
तृष्णापत्रविचित्रचित्तकमले संकोचमुद्रां दधत्
सद्विद्याश्रितभव्यकैरवकुले कुर्वन् विकासश्रियं
योगीन्द्रोदयभूधरे विजयते सद्बोधचन्दोदयः
।।५०।।
અનુવાદ : જે સદ્બોધચન્દ્રોદય (સમ્યગ્જ્ઞાનરૂપી ચંદ્રનો ઉદય) તત્ત્વજ્ઞાનરૂપી
અમૃતના સમુદ્રને તત્ત્વવિચારરૂપ લહેરો દ્વારા દૂરથી જ પ્રગટ કરે છે, તૃષ્ણારૂપી
પાંદડાઓથી વિચિત્ર એવા ચિત્તરૂપી કમળને સંકોચે છે તથા સમ્યગ્જ્ઞાનનો આશ્રય
પામેલા ભવ્ય જીવો રૂપ કુમુદોના સમૂહને વિકસિત કરે છે; તે સદ્બોધ ચન્દ્રોદય
(આ પ્રકરણ) મુનીન્દ્રરૂપી ઉદયાચળ પર્વત ઉપર જયવંત થાય છે. ૫૦.
આ રીતે સદ્બોધચંદ્રોદય અધિકાર સમાપ્ત થયો. ૧૦.
અધિકાર૧૦ઃ સદ્બોધ ચંદ્રોદય ]૨૪૯