૧૧. નિશ્ચયપંચાશત્
[११. निश्चयपञ्चाशत् ]
(आर्या )
दुर्लक्ष्यं जयति परं ज्योतिर्वाचां गणः कवीन्द्राणाम् ।
जलमिव वज्रे यस्मिन्नलब्धमध्या बहिर्लुठति ।।१।।
અનુવાદ : જેવી રીતે જળ વજ્રની મધ્યમાં પ્રવેશ ન પામતાં બહાર જ દડી
પડે છે તેવી જ રીતે જે ઉત્કૃષ્ટ જ્યોતિની મધ્યમાં મહાકવિઓના વચનોનો સમૂહ પણ
પ્રવેશ ન પામતાં બહાર જ રહી જાય છે, અર્થાત્ જેનું વર્ણન મહાકવિ પણ પોતાની
વાણી દ્વારા કરી શકતા નથી તથા જે ઘણી મુશ્કેલીથી દેખી શકાય છે તે ઉત્કૃષ્ટ જ્યોતિ
જયવંત હો. ૧.
(आर्या )
मनसो ऽचिन्त्यं वाचामगोचरं यन्महस्तनोर्भिन्नम् ।
स्वानुभवमात्रगम्यं चिद्रूपममूर्तमव्याद्वः ।।२।।
અનુવાદ : જે ચૈતન્યરૂપ તેજના વિષયમાં મનથી કાંઈ વિચાર કરી શકાતો
નથી, વચનથી કાંઈ કહી શકાતું નથી તથા જે શરીરથી ભિન્ન, અનુભવ માત્રથી ગમ્ય
અને અમૂર્ત છે; તે ચૈતન્યરૂપ તેજ આપ લોકોની રક્ષા કરો. ૨.
(आर्या )
वपुरादिपरित्यक्ते मज्जत्यानन्दसागरे मनसि ।
प्रतिभाति यत्तदेकं जयति परं चिन्मयं ज्योतिः ।।३।।
અનુવાદ : મનથી બાહ્ય શરીરાદિ તરફથી ખસીને આનંદરૂપ સમુદ્રમાં ડૂબી જતાં
૨૫૦