Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12-15 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 253 of 378
PDF/HTML Page 279 of 404

 

background image
કથન જાણીને શુદ્ધ સ્વરૂપનો આશ્રય લે છે તેથી તે વ્યવહાર (પૂજ્ય) ગ્રાહ્ય છે. ૧૧.
(आर्या )
आत्मनि निश्चयबोधस्थितयो रत्नत्रयं भवक्षतये
भूतार्थपथप्रस्थितबुद्धेरात्मैव तत्त्रितयम् ।।१२।।
અનુવાદ : આત્માના વિષયમાં દ્રઢતા (સમ્યગ્દર્શન), જ્ઞાન અને સ્થિતિ
(ચારિત્ર)રૂપ રત્નત્રય સંસારના નાશનું કારણ છે. પરંતુ જેની બુદ્ધિ શુદ્ધ નિશ્ચયનયના
માર્ગમાં પ્રવૃત્ત થઈ ચુકી છે તેને તે ત્રણે (સમ્યગ્દર્શનાદિ) એક આત્મસ્વરૂપ જ છે
તેનાથી ભિન્ન નથી. ૧૨.
(आर्या )
सम्यक्सुखबोधद्रशां त्रितयमखण्डं परात्मनो रूपम्
तत्तत्र तत्परो यः स एव तल्लब्धिकृतकृत्यः ।।१३।।
અનુવાદ : સમ્યક્ સુખ (ચારિત્ર), જ્ઞાન અને દર્શન આ ત્રણેની એકતા
પરમાત્માનું અખંડ સ્વરૂપ છે. તેથી જે જીવ ઉપર્યુક્ત પરમાત્મસ્વરૂપમાં લીન થાય
છે તે જ તેમની પ્રાપ્તિથી કૃતકૃત્ય થાય છે. ૧૩.
(आर्या )
अग्नाविवोष्णभावः सम्यग्बोधो ऽस्ति दर्शनं शुद्धम्
ज्ञातं प्रतीतमाभ्यां सत्स्वास्थ्यं भवति चारित्रम् ।।१४।।
અનુવાદ : જેવી રીતે અભેદ સ્વરૂપે અગ્નિમાં ઉષ્ણતા રહે છે તેવી જ રીતે
આત્મામાં જ્ઞાન છે. આ પ્રકારની પ્રતીતિનું નામ શુદ્ધ સમ્યગ્દર્શન અને તે જ પ્રકારે
જાણવાનું નામ સમ્યગ્જ્ઞાન છે. આ બન્નેની સાથે ઉક્ત આત્માના સ્વરૂપમાં સ્થિત
થવાનું નામ સમ્યક્ચારિત્ર છે. ૧૪.
(आर्या )
विहिताभ्यासा बहिरर्थवेध्यसंबन्धिनो द्रगादिशराः
सफलाः शुद्धात्मरणे छिन्दितकर्मारिसंघाताः ।।१५।।
અનુવાદ : જે સમ્યગ્દર્શન આદિરૂપ બાણ બાહ્ય વસ્તુરૂપ વેધ્ય (લક્ષ્ય)
અધિકાર૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૫૩