Padmanandi Panchvinshati (Gujarati). Gatha: 2-3 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 2 of 378
PDF/HTML Page 28 of 404

 

background image
પણ જાણે કે સમતાભાવથી આઠ કર્મરૂપી ઇન્ધનને જલાવવા માટે ઇચ્છુક થઈને ભગવાન
આદિનાથ જિનેન્દ્ર દ્વારા કરવામાં આવેલ ધ્યાનરૂપી અગ્નિનો તણખો જ ઉત્પન્ન થયો હતો. ૧.
(शार्दूलविक्रीडित)
नो किंचित्करकार्यमस्ति गमनप्राप्यं न किंचिद् द्रशो-
द्रर्श्यं यस्य न कर्णयोः किमपि हि श्रोतव्यमप्यस्ति न
तेनालम्बितपाणिरुज्झितगतिर्नासाग्रद्रष्टी रहः
संप्राप्तोऽतिनिराकुलो विजयते ध्यानैकतानो जिनः ।।।।
અનુવાદ : હાથથી કરવા યોગ્ય કોઈ પણ કાર્ય બાકી ન રહેવાથી જેમણે
પોતાના બન્ને હાથ નીચે લટકાવી દીધા હતા, ગમન કરીને મેળવવા યોગ્ય કાંઈ પણ
કાર્ય ન રહેવાથી જે ગમનરહિત થઈ ગયા હતા. આંખો વડે જોવા યોગ્ય કોઈ પણ
વસ્તુ ન રહેવાથી જેઓ પોતાની દ્રષ્ટિ નાકની અણી ઉપર ઠેરવતા હતા, તથા કાનને
સાંભળવા યોગ્ય કાંઈ પણ બાકી ન રહેવાથી જે આકુળતા રહિત થઈને એકાન્ત
સ્થાનમાં રહ્યા હતા; એવા તે ધ્યાનમાં એકાગ્રચિત્ત થયેલા જિન ભગવાન જયવંત હો.
વિશેષાર્થ : અન્ય સમસ્ત પદાર્થો તરફથી ચિંતા ખસેડીને કોઈ એક જ પદાર્થ તરફ તેને
નિયમિત કરવી, તેને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાન ક્યાંક એકાંત સ્થાનમાં જ કરી શકાય છે.
જો ઉક્ત ધ્યાન કાયોત્સર્ગવડે કરવામાં આવે તો તેમાં બન્ને હાથ નીચે લટકતા રાખી દ્રષ્ટિ નાકની
અણી ઉપર રાખવામાં આવે છે. આ ધ્યાનની અવસ્થા લક્ષમાં રાખીને જ અહીં એમ કહેવામાં આવ્યું
છે કે તે વખતે જિન ભગવાનને ન હાથ વડે કરવા યોગ્ય કાંઈ કાર્ય બાકી કહ્યું હતું, ન ગમન વડે
પ્રાપ્ત કરવા યોગ્ય ધનાદિની અભિલાષા શેષ હતી ન કોઈ પણ દ્રશ્ય તેમની આંખોને રુચિકર બાકી
રહ્યું હતું અને ન કોઈ ગીત આદિ પણ તેમના કાનને મુગ્ધ કરે એવું બાકી રહ્યું હતું. ૨.
(शार्दूलविक्रीडित)
रागो यस्य न विद्यते क्कचिदपि प्रध्वस्तसंगग्रहात्
अस्त्रादेः परिवर्जनान्न च बुधैर्द्वैषोऽपि संभाव्यते
तस्मात्साम्यमथात्मबोधनमतो जातः क्षयः कर्मणा-
मानन्दादिगुणाश्रयस्तु नियतं सोऽर्हन्सदा पातु वः
।।।।
અનુવાદ : જે અરિહંત પરમેષ્ઠીને પરિગ્રહરૂપી પિશાચ રહિત થઈ જવાને
[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ