અનુવાદ : જો હું અન્ય છું અને આ શરીર પણ અન્ય છે તો શું પ્રત્યક્ષ
ભિન્ન દેખાતાં બાહ્ય પદાર્થ (સ્ત્રી – પુત્ર આદિ) મારાથી ભિન્ન નથી? અર્થાત્ તેઓ
તો અવશ્ય જ ભિન્ન છે. બરાબર છે જ્યાં પોતાનો પુત્ર જ વ્યભિચારી હોય અર્થાત્
પોતાને અનુકૂળ ન હોય ત્યાં શું શત્રુ પોતાને અનુકૂળ હોઈ શકે? અર્થાત્ હોઈ શકે
નહિ. ૨૨.
(आर्या )
व्याधिस्तुदति शरीरं न माममूर्तं विशुद्धबोधमयम् ।
अग्निर्दहति कुटीरं न कुटीरासक्त माकाशम् ।।२३।।
અનુવાદઃ – રોગ શરીરને પીડા કરે છે, તે અમૂર્ત અને નિર્મળ જ્ઞાનસ્વરૂપ મને
(આત્માને) પીડા કરતો નથી. યોગ્ય છે – અગ્નિ ઝુંપડીને જ બાળે છે, નહિ કે ઝુંપડી
સાથે આકાશને પણ. ૨૩.
(आर्या )
वपुराश्रितमिदमखिलं क्षुधादिभिर्भवति किमपि यदसातम् ।
नो निश्चयेन तन्मे यदहं बाधाविनिर्मुक्त : ।।२४।।
અનુવાદ : ભૂખ – તરસ વગેરે દ્વારા જે કાંઈ પણ દુઃખ થાય છે તે બધું શરીરાશ્રિત
છે. નિશ્ચયથી તે (દુઃખ) મને નથી કારણ કે હું સ્વભાવે બાધા રહિત છું. ૨૪.
(आर्या )
नैवात्मनो विकारः क्रोधादिः किंतु कर्मसंबन्धात् ।
स्फ टिकमणेरिव रक्त त्वमाश्रितात्पुष्पतो रक्तात् ।।२५।।
અનુવાદ : ક્રોધ આદિ વિકાર આત્માના નથી, પરંતુ તેઓ કર્મ સાથે
સંબંધવાળા હોવાને લીધે તેનાથી ભિન્ન છે. જેમ – લાલ ફૂલના આશ્રયે સ્ફટિકમણિને
પ્રાપ્ત થયેલ લાલિમા વાસ્તવમાં તેની નથી હોતી. ૨૫.
(आर्या )
कुर्यात्कर्म विकल्पं किं मम तेनातिशुद्धरूपस्य ।
मुखसंयोगजविकृतेर्न विकारी दर्पणो भवति ।।२६।।
૨૫૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ