Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 27-30 (11. Nishchayapanchashat).

< Previous Page   Next Page >


Page 257 of 378
PDF/HTML Page 283 of 404

 

background image
અનુવાદ : કર્મ વિકલ્પ ભલે કરે, અતિશય શુદ્ધ સ્વરૂપ યુક્ત એવા મારી
તેના દ્વારા શી હાનિ થઈ શકે? કાંઈ પણ નહિ. બરાબર છેમુખના સંયોગથી ઉત્પન્ન
થયેલ વિકારના કારણે કાંઈ દર્પણ વિકારયુક્ત થઈ જતું નથી. ૨૬.
(आर्या )
आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम्
कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किंचित् ।।२७।।
અનુવાદ : બાહ્ય ઉપાધિઓનો સમૂહ (સ્ત્રીપુત્રધનાદિ) તો દૂર જ રહો,
પરંતુ શરીર અને વચન સંબંધી વિકલ્પોનો સમૂહ પણ કર્મકૃત હોવાના કારણે મારાથી
ભિન્ન છે. હું સ્વભાવે શુદ્ધ છું તેથી કોઈ પણ વિકાર મારો ક્યાંથી હોઈ શકે? ન
હોઈ શકે. ૨૭.
(आर्या )
कर्म परं तत्कार्यं सुखमसुखं वा तदेव परमेव
तस्मिन् हर्षविषादौ मोही विदधाति खलु नान्यः ।।२८।।
અનુવાદ : કર્મ ભિન્ન છે તથા તેના કાર્યભૂત જે સુખ અને દુઃખ છે તે
પણ ભિન્ન છે. કર્મના કાર્યભૂત તે સુખ અને દુઃખમાં નિશ્ચયથી અજ્ઞાની જીવ જ
હર્ષ અને વિષાદ કરે છે, નહિ કે જ્ઞાની જીવ. ૨૮.
(आर्या )
कर्म न यथा स्वरूपं न तथा तत्कार्यकल्पनाजालम्
तत्रात्ममतिविहीनो मुमुक्षुरात्मा सुखी भवति ।।२९।।
અનુવાદ : જેવી રીતે કર્મ આત્માનું સ્વરૂપ નથી તેવી જ રીતે તેના કાર્યભૂત
વિકલ્પોનો સમૂહ પણ આત્માનું સ્વરૂપ નથી. તેથી તેમનામાં આત્મબુદ્ધિ અર્થાત્
મમત્વબુદ્ધિથી રહિત થયેલ મોક્ષાભિલાષી જીવ સુખી થાય છે. ૨૯.
(आर्या )
कर्मकृतकार्यजाते कर्मैव विधौ तथा निषेधे च
नाहमतिशुद्धबोधो विधूतविश्वोपधिर्नित्यम् ।।३०।।
અધિકાર૧૧ઃ નિશ્ચયપંચાશત્ ]૨૫૭