Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-4 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 269 of 378
PDF/HTML Page 295 of 404

 

background image
વિશેષાર્થ : વ્યવહાર અને નિશ્ચયની અપેક્ષાએ બ્રહ્મચર્યના બે ભેદ કરી શકાય છે. આમાં
મૈથુન ક્રિયાના ત્યાગને વ્યવહાર બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. તે પણ અણુવ્રત અને મહાવ્રતના ભેદથી
બે પ્રકારનું છે. પોતાની પત્નીને છોડીને બાકીની બધી સ્ત્રીઓને યથાયોગ્ય માતા, બહેન અને પુત્રી
સમાન માનીને તેમના પ્રત્યે રાગપૂર્વક વ્યવહાર ન કરવો; તેને બ્રહ્મચર્યાણુવ્રત અથવા સ્વદારસંતોષ
પણ કહેવામાં આવે છે. તથા અન્ય સ્ત્રીઓની જેમ પોતાની પત્નીના વિષયમાં પણ અનુરાગબુદ્ધિ
ન રાખવી, એ બ્રહ્મચર્ય મહાવ્રત કહેવાય છે જે મુનિને હોય છે. પોતાના વિશુદ્ધ આત્મસ્વરૂપમાં
જ રમણ કરવાનું નામ નિશ્ચય બ્રહ્મચર્ય છે . આ તે મહામુનિઓને હોય છે જે અન્ય બાહ્ય પદાર્થોના
વિષયમાં તો શું, પરંતુ પોતાના શરીરના વિષયમાં પણ નિઃસ્પૃહ થઈ ગયા છે. આ જાતના બ્રહ્મચર્યનું
જ સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ૨.
(शार्दूलविक्रीडित)
स्वप्ने स्यादतिचारिता यदि तदा तत्रापि शास्त्रोदितं
प्रायश्चित्तविधिं करोति रजनीभागानुगत्या मुनिः
रागोद्रेकतया दुराशयतया सा गौरवात् कर्मणः
तस्य स्याद्यदि जाग्रतोऽपि हि पुनस्तस्यां महच्छोधनम्
।।।।
અનુવાદ : જો સ્વપ્નમાં પણ કદાચ બ્રહ્મચર્યના વિષયમાં અતિચાર (દોષ)
ઉત્પન્ન થાય છે તો મુનિ તેના વિષયમાં પણ રાત્રિવિભાગ અનુસાર વિધિપૂર્વક
પ્રાયશ્ચિત્ત કરે છે. અને જો કર્મોદયવશ રાગની પ્રબળતાથી અથવા દુષ્ટ અભિપ્રાયથી
જાગૃત અવસ્થામાં તેવો અતિચાર થાય તો તેમને મહાન પ્રાયશ્ચિત્ત કરવું પડે છે. ૩.
(शार्दूलविक्रीडित)
नित्यं खादति हस्तिसूकरपलं सिंहो बली तद्रति-
र्वर्षणैकदिने शिलाकणचरे पारावते सा सदा
न ब्रह्मव्रतमेति नाशमथवा स्यान्नैव भुक्तेर्गुणा-
त्तद्रक्षां
द्रढ एक एव कुरुते साधोर्मनः संयमः ।।।।
અનુવાદ : જે બળવાન સિંહ નિરંતર હાથી અને સુવ્વરનું માંસ ખાય છે
તેને અનુરાગ (સંભોગ) વર્ષમાં કેવળ એક દિવસને માટે હોય છે. એનાથી ઉલ્ટું જે
કબૂતર કાંકરા ખાય છે તેને તે અનુરાગ નિરંતર રહ્યા કરે છે. અથવા ભોજનના
ગુણથી
ગરિષ્ટ ભોજન અથવા લૂખૂં સૂકું ભોજન કરવા અથવા ઉપવાસ કરવાથી
અધિકાર૧૨ઃ બ્રહ્મચર્યરક્ષાવર્તિ ]૨૬૯