તે બ્રહ્મચર્યનો ન તો નાશ થાય છે અને ન રક્ષા ય થાય છે. તેની રક્ષા તો દ્રઢતાથી
નિગ્રહ પ્રાપ્ત કરાવવામાં આવેલ એક સાધુનું મન જ કરે છે. ૪.
(शार्दूलविक्रीडित)
चेतः संयमनं यथावदवनं मूलव्रतानां मतं
शेषाणां च यथाबलं प्रभवतां बाह्यं मुनेर्ज्ञानिनः ।
तज्जन्यं पुनरान्तरं समरसीभावेन चिच्चेतसो
नित्यानन्दविधायि कार्यजनकं सर्वत्र हेतुद्वयम् ।।५।।
અનુવાદ : મૂળગુણોનું તથા શક્તિ અનુસાર ઉત્પન્ન થતાં શેષ (ઉત્તર)
ગુણોનું વિધિપૂર્વક રક્ષણ કરવું, એ જ્ઞાની મુનિનો બાહ્ય મનોસંયમ કહેવાય છે.
આનાથી ફરી તે અંતરંગ સંયમ ઉત્પન્ન થાય છે જે ચૈતન્ય અને ચિત્તના એકરૂપ
થઈ જવાથી શાશ્વત સુખ ઉત્પન્ન કરે છે. બરાબર છે – સર્વ બાહ્ય અને અભ્યંતર
આ બન્નેય કારણ કાર્યના જનક થાય છે. ૫.
(शार्दूलविक्रीडित)
चेतोभ्रान्तिकरी नरस्य मदिरापीतिर्यथा स्त्री तथा
तत्संगेन कुतो मुनेर्व्रतविधिः स्तोकोऽपि संभाव्यते ।
तस्मात्संसृतिपातभीतमतिभिः प्राप्तैस्तपोभूमिकां
कर्तव्यो व्रतिभिः समस्तयुवतित्यागे प्रयत्नो महान् ।।६।।
અનુવાદ : જેમ મદ્યપાન મનુષ્યનું ચિત્ત ભ્રાન્તિયુક્ત કરી મૂકે છે તેવી
જ રીતે સ્ત્રી પણ તેના ચિત્તને ભ્રાન્તિયુક્ત કરી મૂકે છે. તો પછી ભલા તેના
સંગથી મુનિને થોડાય વ્રતાચરણની સંભાવના ક્યાંથી હોઈ શકે? ન હોઈ શકે.
તેથી જેમની બુદ્ધિ સંસાર પરિભ્રમણથી ભય પામી છે તથા જે તપનું અનુષ્ઠાન
કરે છે તે સંયમી મનુષ્યોએ સમસ્ત સ્ત્રીઓના ત્યાગનો પ્રયત્ન કરવો જોઈએ. ૬.
(शार्दूलविक्रीडित)
मुद्वर्क्तोरि द्रढार्गला भवतरोः सेके ऽङ्गना सारिणी
मोहव्याधविनिर्मिता नरमृगस्याबन्धने वागुरा ।
૨૭૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ