Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 8-9 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 271 of 378
PDF/HTML Page 297 of 404

 

background image
यत्संगेन सतामपि प्रसरति प्राणातिपातादि तत्
तद्वार्तापि यतेर्यतित्वहतये कुर्यान्न किं सा पुनः
।।।।
અનુવાદ : જે સ્ત્રી મોક્ષરૂપી મહેલના દ્વારની મજબૂત ભોગળ (બન્ને
બારણાને રોકનાર ખાસ લાકડું આગળિયા) સમાન છે, જે સંસારરૂપ વૃક્ષને
સીંચવા માટે સારિણી (નાની નદી કે ઝારી) સમાન છે, જે પુરુષરૂપ હરણને
બાંધવા માટે જાળ સમાન છે તથા જેના સંગથી સજ્જનોને પણ પ્રાણઘાતાદિ
(હિંસાદિ) દોષ વધે છે; તે સ્ત્રીનું નામ લેવું પણ જો મુનિવ્રતના નાશનું કારણ
થતું હોય તો ભલા તે સ્વયં શું ન કરી શકે? અર્થાત્ તે બધા વ્રત
નિયમાદિનો
નાશ કરે છે. ૭.
(शार्दूलविक्रीडित)
तावत्पूज्यपदस्थितिः परिलसत्तावद्यशो जृम्भते
तावच्छुभ्रतरा गुणाः शुचिमनस्तावत्तपो निर्मलम्
तावद्धर्मकथापि राजति यतेस्तावत्स द्रश्यो भवेद्
यावन्न स्मरकारि हारि युवते रागान्मुखं वीक्षते ।।।।
અનુવાદ : જ્યાં સુધી કામનું ઉદ્દીપન કરનાર યુવાન સ્ત્રીનું મનોહર મુખ
અનુરાગ પૂર્ણ દ્રષ્ટિથી દેખતા નથી ત્યાંસુધી જ મુનિની પૂજ્ય પદમાં સ્થિતિ રહી શકે
છે. ત્યાં સુધી જ તેમની મનોહર કીર્તિનો વિસ્તાર થાય છે. ત્યાંસુધી જ તેના નિર્મળ
ગુણ વિદ્યમાન રહે છે. ત્યાંસુધી જ તેનું મન પવિત્ર રહે છે, ત્યાંસુધી જ નિર્મળ તપ
રહે છે, ત્યાંસુધી જ ધર્મકથા સુશોભિત રહે છે અને ત્યાંસુધી જ તે દર્શનને યોગ્ય
રહે છે. ૮.
(शार्दूलविक्रीडित)
तेजोहानिमपूततां व्रतहतिं पापं प्रपातं पथो
मुक्ते रागितयाङ्गनास्मृतिरपि क्लेशं करोति ध्रुवम्
तत्सांनिध्यविलोकनप्रतिवचःस्पर्शादयः कुर्वते
किं नानर्थपरंपरामिति यतेस्त्याज्याबला दूरतः
।।।।
અધિકાર૧૨ઃ બ્રહ્મચર્યરક્ષાવર્તિ ]૨૭૧