Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 10-11 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 272 of 378
PDF/HTML Page 298 of 404

 

background image
અનુવાદ : રાગબુદ્ધિથી કરવામાં આવેલું સ્ત્રીનું સ્મરણ પણ જો નિશ્ચયથી
મુનિના તેજની હાનિ, અપવિત્રતા, વ્રતનો વિનાશ, પાપ, મોક્ષમાર્ગથી પતન અને ક્લેશ
કરે છે. તો ભલા તેની સમીપતા, દર્શન, વાર્તાલાપ અને સ્પર્શ આદિ શું અનર્થોની
નવી પરંપરા નથી કરતાં? અર્થાત્ અવશ્ય કરે છે. તેથી સાધુએ એવી સ્ત્રીનો દૂરથી
જ ત્યાગ કરવો જોઈએ. ૯.
(शार्दूलविक्रीडित)
वेश्या स्याद्धनतस्तदस्ति न यतेश्चेदस्ति सो स्यात् कुतो
नात्मीया युवतिर्यतित्वमभवत्तत्त्यागतो यत्पुरा
पुंसोऽन्यस्य च योषितो यदि रतिश्छिन्नो नृपात्तत्पतेः
स्यादापज्जननद्वयक्षयकरी त्याज्यैव योषा यतेः
।।१०।।
અનુવાદ : વેશ્યા ધનથી પ્રાપ્ત થાય છે અને ધન મુનિ પાસે હોતું નથી.
કદાચ જો તે ધન પણ તેની પાસે હોય તો ય તે ક્યાંથી પ્રાપ્ત થાય? અર્થાત્ તેની
પ્રાપ્તિ દુર્લભ છે. એ સિવાય જો પોતાની જ સ્ત્રી મુનિ પાસે હોય તો એ પણ સંભવિત
નથી; કારણ કે પૂર્વે તેનો ત્યાગ કરીને તો મુનિધર્મનો સ્વીકાર કર્યો છે. જો કોઈ
બીજા પુરુષની સ્ત્રી સાથે અનુરાગ કરવામાં આવે તો રાજા દ્વારા તથા તે સ્ત્રીના પતિ
દ્વારા ઇન્દ્રિય છેદન આદિ કષ્ટને પ્રાપ્ત થાય છે તેથી સાધુએ બન્ને લોકનો નાશ
કરનારી સ્ત્રીનો ત્યાગ જ કરવો જોઈએ. ૧૦.
(शार्दूलविक्रीडित)
दारा एव गृहं न चेष्टकचित तत्तैर्गृहस्थो भवेत्
तत्त्यागे यतिरादधाति नियतं स ब्रह्मचर्यं परम्
वैकल्यं किल तत्र चेत्तदपरं सर्वं विनष्टं व्रतं
पुंसस्तेन विना तदा तदुभयभ्रष्टत्वमापद्यते
।।११।।
અનુવાદ : સ્ત્રી જ ઘર છે, ઇંટોથી નિર્મિત ઘર વાસ્તવમાં ઘર નથી. તે સ્ત્રીરૂપ
ઘરના સંબંધથી જ શ્રાવક ગૃહસ્થ થાય છે અને તેનો ત્યાગ કરીને સાધુ નિયમિત
ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય ધારણ કરે છે. જો તે બ્રહ્મચર્યના વિષયમાં વિકળતા (દોષ) હોય તો
પછી અન્ય સર્વ વ્રત નષ્ટ થઈ જાય છે. આ રીતે તે બ્રહ્મચર્ય વિના પુરુષ બન્નેય
૨૭૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ