Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12-14 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 273 of 378
PDF/HTML Page 299 of 404

 

background image
લોકમાંથી ભ્રષ્ટ થાય છે અર્થાત્ તેનો આ લોક અને પરલોક બન્નેય બગડે છે. ૧૧.
(शार्दूलविक्रीडित)
संपद्येत दिनद्वयं यदि सुखं नो भोजनादेस्तदा
स्त्रीणामप्यतिरूपगर्वितधियामङ्गं शवाङ्गायते
लावण्याद्यपि तत्र चञ्चलमिति श्लिष्टं च तत्तद्गतां
द्रष्ट्वा कुङ्कुमकाजलादिरचनां मा गच्छ मोहं मुने ।।१२।।
અનુવાદ : જો બે દિવસ જ ભોજન આદિનું સુખ પ્રાપ્ત ન થાય તો પોતાના
સૌન્દર્યનું અત્યંત અભિમાન કરનારી તે સ્ત્રીઓનું શરીર મૃત શરીર સમાન થઈ જાય
છે. સ્ત્રીના શરીરમાં સંબદ્ધ લાવણ્ય આદિ પણ વિનશ્વર છે તેથી હે મુને! તેના શરીર
ઉપર લગાડેલ કુમકુમ અને કાજળ આદિની રચના જોઈને તું મોહ ન પામ. ૧૨.
(शार्दूलविक्रीडित)
रम्भास्तम्भमृणालहेमशशभृन्नीलोत्पलाद्यैः पुरा
यस्य स्त्रीवपुषः पुरः परिगतैः प्राप्ता प्रतिष्ठा न हि
तत्पर्यन्तदशां गतं विधिवशात्क्षिप्तं क्षतं पक्षिभि-
र्भीतैश्छादितनासिकैः पितृवने
द्रष्टं लघु त्यज्यते ।।१३।।
અનુવાદ : પૂર્વે જે સ્ત્રી-શરીરની આગળ કેળનું થડ, કમળનાળ, સુવર્ણ, ચન્દ્રમા
અને નીલકમળ આદિ પ્રતિષ્ઠા પામી શક્યા નથી તે શરીર જ્યારે દૈવવશે મરણ
અવસ્થાને પ્રાપ્ત થતાં સ્મશાનમાં ફેંકી દેવામાં આવે છે અને પક્ષી તેને આમતેમ
ખોતરીને છિન્ન ભિન્ન કરી નાખે છે ત્યારે આવી અવસ્થામાં તેને જોઈને ભય પામેલા
લોકો નાક બંધ કરીને તરત જ છોડી દે છે
ત્યારે તેના ઉપર અનુરાગ કરવો તો
દૂર રહ્યો પણ તે અવસ્થામાં તેઓ તેને જોઈ પણ શકતા નથી. ૧૩.
(शार्दूलविक्रीडित)
अङ्गं यद्यपि योषितां प्रविलसत्तारुण्यलावण्यवद्
भूषावत्तदपि प्रमोदजनकं मूढात्मनां नो सताम्
उच्छूनैर्बहुभिः शवैरतितरां कीर्णं श्मशानस्थलं
लब्ध्वा तुष्यति कृष्णकाकनिकरो नो राजहंसव्रजः
।।१४।।
અધિકાર૧૨ઃ બ્રહ્મચર્યરક્ષાવર્તિ ]૨૭૩