(मालिनी)
जयति जगदधीशः शान्तिनाथो यदीयं
स्मृतमपि हि जनानां पापतापोपशान्त्यै ।
विबुधकुलकिरीटप्रस्फु रन्नीलरत्न-
द्युतिचलमधुपालीचुम्बितं पादपद्मम् ।।५।।
અનુવાદ : દેવોના સમૂહોના મુકુટોમાં પ્રકાશમાન નીલરત્નોની કાંતિરૂપી
ચંચળ ભમરાઓની પંક્તિથી સ્પર્શાયેલા જે શાન્તિનાથ જિનેન્દ્રના ચરણકમળ સ્મરણ
કરવા માત્રથી જ લોકોના પાપરૂપ સંતાપને દૂર કરે છે તે લોકના અધિનાયક ભગવાન
શાન્તિનાથ જિનેન્દ્ર જયવંત હો. ૫.
(मालिनी)
स जयति जिनदेवः सर्वविद्विश्वनाथो
वितथवचनहेतुक्रोधलोभाद्विमुक्त : ।
शिवपुरपथपान्थप्राणिपाथेयमुच्चै-
र्जनितपरमशर्मा येन धर्मोऽभ्यधायि ।।६।।
અનુવાદ : જે જિન ભગવાન અસત્ય ભાષણના કારણરૂપ ક્રોધ અને લોભ
આદિથી રહિત છે અને જેણે મોક્ષપુરીના માર્ગે ચાલતા મુસાફરોને નાસ્તારૂપ તેમ
જ ઉત્તમ સુખ ઉત્પન્ન કરનાર એવા ધર્મનો ઉપદેશ આપ્યો છે તે સમસ્ત પદાર્થોને
જાણનાર ત્રણ લોકના અધિપતિ જિનદેવ જયવંત હો. ૬.
(शार्दूलविक्रीडित)
धर्मो जीवदया गृहस्थशमिनोर्भेदाद्विधा च त्रयं
रत्नानां परमं तथा दशविधोत्कृष्टक्षमादिस्ततः ।
मोहोद्भूतविकल्पजालरहिता वागसङ्गोज्झिता
शुद्धानन्दमयात्मनः परिणतिर्धर्माख्यया गीयते ।।७।।
અનુવાદ : પ્રાણીઓ ઉપર દયાભાવ રાખવો તે ધર્મનું સ્વરૂપ છે. તે ધર્મ
૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ