સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ ઉત્કૃષ્ટ રત્નત્રયના ભેદથી ત્રણ પ્રકારનો તથા ઉત્તમ
ક્ષમા, ઉત્તમ માર્દવ આદિના ભેદથી દસ પ્રકારનો પણ છે. પરંતુ નિશ્ચયથી તો મોહના
નિમિત્તે ઉત્પન્ન થતાં માનસિક વિકલ્પોથી તથા વચન અને શરીરના સંસર્ગથી પણ
રહિત જે શુદ્ધ આનંદરૂપ આત્માની પરિણતિ થાય છે તેને જ ‘ધર્મ’ નામે કહેવામાં
આવે છે.
આત્માની પરિણતિને જ કહેવામાં આવે છે. ૭.
मूलं धर्मंतरोरनश्वरपदारोहैकनिःश्रेणिका
धिङ्नामाप्यपदयस्य तस्य च परं सर्वत्र शून्या दिशः
સંપદાઓની મુખ્ય જનની અર્થાત્ ઉત્પાદક છે; ધર્મરૂપી વૃક્ષનું મૂળ છે, તથા અવિનશ્વર
પદ અર્થાત્ મોક્ષ મહેલમાં ચડવાની અપૂર્વ નિસરણીનું કામ કરે છે. નિર્દય પુરુષનું
નામ લેવું પણ નિન્દ્ય છે, તેના માટે બધે દિશાઓ શૂન્ય જેવી છે.
પ્રાણીદયા થતાં જ ઉત્તમ વ્રત, સુખ અને સમીચીન સંપદાઓ તથા અંતે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે;
માટે જ ધર્માત્માઓનું એ પ્રથમ કર્તવ્ય છે કે તે સમસ્ત પ્રાણીધારીઓ પ્રત્યે દયાભાવ રાખે. જે
પ્રાણી નિર્દયતાથી જીવઘાતની પ્રવૃત્તિ કરે છે તેનું નામ લેવું પણ ખરાબ સમજવામાં આવે છે. તેને
ક્યાંય પણ સુખ સામગ્રી પ્રાપ્ત થવાની નથી. તેથી સત્પુરુષોને આ પહેલો ઉપદેશ છે કે તેમણે સમસ્ત
પ્રાણીઓ પ્રત્યે દયાયુક્ત આચરણ કરવું. ૮.