Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 20-21 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 276 of 378
PDF/HTML Page 302 of 404

 

background image
અનુવાદ : અહીં સ્ત્રી આદિ વિના જે દુઃખ થાય છે તેને નષ્ટ કરવા માટે
લોકો ઉક્ત સ્ત્રી આદિનો સ્વીકાર કરે છે પરંતુ તે સ્ત્રી આદિના નિમિત્તે જે સુખ થાય
છે તે વાસ્તવમાં પરને આધીન હોવાથી દુઃખ જ છે. તેથી વિવેકી જનો પરિણામે
અહિતકારક અને પ્રમાણમાં અલ્પ તે વિષયજન્ય સુખ છોડીને તત્ત્વદર્શીઓના તે
અનુપમ સુખનો સ્વીકાર કરે છે જે આત્માધીન, નિત્ય, આત્મિક (સ્વાધીન) અને
પાપરહિત છે. ૧૯.
(शार्दूलविक्रीडित)
सौभाग्यादिगुणप्रमोदसदनैः पुण्यैर्युतास्ते हृदि
स्त्रीणां ये सुचिरं वसन्ति विलसत्तारुण्यपुण्यश्रियाम्
ज्योतिर्बोधमयं तदन्तरद्रशा कायात्पृथक् पश्यतां
येषां ता न तु जातु ते ऽपि कृतिनस्तेभ्यो नमः कुर्वते ।।२०।।
અનુવાદ : જે મનુષ્ય શોભાયમાન યૌવનની પવિત્ર શોભાથી સંપન્ન એવી
સ્ત્રીઓના હૃદયમાં ચિરકાળ સુધી નિવાસ કરે છે તે સૌભાગ્યાદિ ગુણો અને આનંદના
સ્થાનભૂત પુણ્યયુક્ત હોય છે. અર્થાત્ જેમને ઉત્તમ સ્ત્રીઓ ચાહે છે તે પુણ્યાત્મા પુરુષ
છે. પરંતુ અભ્યંતર નેત્રથી જ્ઞાનમય જ્યોતિને શરીરથી ભિન્ન દેખનાર જે સાધુઓના
હૃદયમાં તે સ્ત્રીઓ કદી પણ નિવાસ કરતી નથી તે પુણ્યશાળી મુનિઓને તે પૂર્વોક્ત
(સ્ત્રીઓના હૃદયમાં રહેનાર) પુણ્યાત્મા પુરુષો પણ નમસ્કાર કરે છે. ૨૦.
(शार्दूलविक्रीडित)
दुष्प्रापं बहुदुःखराशिरशुचि स्तोकायुरल्पज्ञता-
ज्ञातप्रान्तदिनं जराहतमतिः प्रायो नरत्वं भवे
अस्मिन्नेव तपस्ततः शिवपदं तत्रैव साक्षात्सुखं
सौख्यार्थीति विचिन्त्य चेतसि तपः कुर्यान्नरो निर्मलम्
।।२१।।
અનુવાદ : સંસારમાં જે મનુષ્યપર્યાય દુર્લભ છે, ઘણા દુઃખોના સમૂહથી
વ્યાપ્ત છે, અપવિત્ર છે, અલ્પ આયુસહિત છે, જેના અંત (મરણ)નો દિવસ
અલ્પજ્ઞતાને કારણે જાણી શકાતો નથી, તથા જેમાં વૃદ્ધાવસ્થાને કારણે બુદ્ધિ પ્રાયઃ
કુંઠિત થઈ જાય છે; તે મનુષ્ય પર્યાયમાં જ તપ કરી શકાય છે અને મોક્ષપદની
૨૭૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ