Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 22 (12. Brahmacharyarakshavarti).

< Previous Page   Next Page >


Page 277 of 378
PDF/HTML Page 303 of 404

 

background image
પ્રાપ્તિ આ તપથી થાય છે અને વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. મનમાં આવો
વિચાર કરીને મોક્ષસુખાભિલાષી મનુષ્યે આ દુર્લભ મનુષ્ય પર્યાયમાં નિર્મળ તપ કરવું
જોઈએ. ૨૧.
(शार्दूलविक्रीडित)
उक्तेयं मुनि पद्मनन्दिभिषजा द्वाभ्यां युतायाः शुभा
सद्वृत्तौषधविंशतेरुचितवागर्थाम्भसा वर्तिता
निर्ग्रन्थैः परलोकदर्शनकृते प्रोद्यत्तपोवार्धकै-
श्चेतश्चक्षुरनङ्गरोगशमनी वर्तिः सदा सेव्यताम्
।।२२।।
અનુવાદ : બાવીશ ઉત્તમ છન્દો (પદ્યો) રૂપ ઔષધિ (બાવીશ શ્લોકમાં રચિત
આ બ્રહ્મચર્ય પ્રકરણ) ની જે આ બત્તી પદ્મનન્દી મુનિરૂપ વૈદ્ય દ્વારા બતાવવામાં આવી
છે, શ્રેષ્ઠ છે, યોગ્ય શબ્દ અને અર્થરૂપ જળથી જેનું ઉદ્વર્તન કરવામાં આવ્યું છે તથા
જે ચિત્તરૂપ ચક્ષુના કામરૂપ રોગને શાંત કરે છે, તેનું સેવન તપોવૃદ્ધ સાધુઓએ
પરલોકદર્શન માટે નિરંતર કરવું જોઈએ.
વિશેષાર્થ : અહીં શ્રી પદ્મનન્દી મુનિએ જે આ બાવીશ શ્લોકમય બ્રહ્મચર્ય પ્રકરણ રચ્યું
છે તેને તેમણે ઔષધિની બત્તી (રૂમાં ઔષધ રેડીને આંખમાં નાખવા માટે બનાવેલી વાટ અથવા
અંજનશલાકા) ની ઉપમા આપી છે. અભિપ્રાય તેનો એ છે કે જેમ ઉત્તમ વૈદ્ય દ્વારા બતાવાયેલ
શ્રેષ્ઠ આંજણ સળી દ્વારા આંખોમાં આંજતાં મનુષ્યની આંખોનો રોગ (ફૂલું વગેરે) દૂર થઈ જાય
છે અને પછી તે બીજા લોકોને સ્પષ્ટ જોવા લાગે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવ પદ્મનન્દિ મુનિ
દ્વારા ઉત્તમોત્તમ શબ્દો અને અર્થનો આશ્રય લઈને રચાયેલ આ બ્રહ્મચર્ય પ્રકરણનું મનન કરે છે
તેમના ચિત્તનો કામરોગ (વિષય વાંછા) નષ્ટ થઈ જાય છે અને ત્યારે તે મુનિવ્રત ધારણ કરીને
પરલોક (બીજો ભવ) જોવામાં સમર્થ થઈ જાય છે. તાત્પર્ય એ કે આમ કરવાથી દુર્ગતિનું દુઃખ
નષ્ટ થઈને તેમને કાં તો મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અથવા તો બીજા ભવમાં દેવાદિની ઉત્તમ
પર્યાય પ્રાપ્ત થાય છે. ૨૨.
આ રીતે બ્રહ્મચર્યરક્ષાવર્તી નામનો અધિકાર સમાપ્ત થયો. ૧૨.
અધિકાર૧૨ઃ બ્રહ્મચર્યરક્ષાવર્તિ ]૨૭૭