Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 44-47 (13. Rhushabha Stoatra).

< Previous Page   Next Page >


Page 292 of 378
PDF/HTML Page 318 of 404

 

background image
(आर्या )
कणयकमलाणमुवरिं सेवा तुह विबुहकप्पियाण तुहं
अहियसिरीणं तत्तो जुत्तं चरणाण संचरणं ।।४४।।
અનુવાદઃહે ભગવન્! આપની સેવા માટે દેવો દ્વારા રચવામાં આવેલા
સુવર્ણમય કમળો ઉપર જે આપના ચરણોનો સંચાર થતો હતો તે યોગ્ય જ હતું કેમ
કે આપના ચરણોની શોભા તે કમળો કરતાં વધારે હતી. ૪૪.
(आर्या )
सइ-हरिकयकण्णसुहो गिज्जइ अमरेहिं तुह जसो सग्गे
मण्णे तं सोउमणो हरिणो हरिणंक वमल्लीणो ।।४५।।
અનુવાદઃહે જિનેન્દ્ર! સ્વર્ગમાં ઇન્દ્રાણી અને ઇન્દ્રના કાનોને સુખ આપનારું
જે દેવોદ્વારા આપનું યશોગાન કરવામાં આવે છે તે સાંભળવા માટે ઉત્સુક થઈને જ
જાણે હરણે ચન્દ્રનો આશ્રય લીધો છે, એમ હું સમજું છું. ૪૫.
(आर्या )
अलियं कमले कमला कमकमले तुह जिणिंद सा वसइ
णहकिरणणिहेण घडंति णयजणे से कडक्खछडा ।।४६।।
અનુવાદઃહે જિનેન્દ્ર! કમળમાં લક્ષ્મી રહે છે એમ કહેવું અસત્ય છે; કારણ
કે તે તો આપના ચરણકમળમાં રહે છે, તેથી જ તો નમસ્કાર કરતા જનો ઉપર
આપના નખોના કિરણોના બ્હાને તેના નેત્રકટાક્ષોની કાન્તિ સંગ પામી શકે છે. ૪૬.
(आर्या )
जे कयकुवलयहरिसे तुमम्मि विद्देसिणो स ताणं पि
दोसो ससिम्मि वा आहयाण जह वाहिआवरणं ।।४७।।
અનુવાદઃહે જિનેન્દ્ર! કુવલય અર્થાત્ ભૂમંડળને હર્ષિત કરનાર આપના
વિષયમાં જે વિદ્વેષ રાખે છે તે તેમનો જ દોષ છે. જેમકુવલય (કુમુદ)ને પ્રફુલ્લિત
કરનાર ચન્દ્રના વિષયમાં જે મૂર્ખ બહારનું આવરણ કરે છે તો તે તેમનો જ દોષ
હોય છે, નહિ કે ચન્દ્રનો. અભિપ્રાય એમ છે કે જેવી રીતે કોઈ ચન્દ્રનો પ્રકાશ
૨૯૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ