Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 59-60 (13. Rhushabha Stoatra).

< Previous Page   Next Page >


Page 296 of 378
PDF/HTML Page 322 of 404

 

background image
પક્ષી ચિરકાળ સુધી ગમન કરીને પણ આકાશનો અંત પામતું નથી તેવી જ રીતે
ચિરકાળ સુધી સ્તુતિ કરીને પણ કોઈની વાણી આપના ગુણોનો અંત પામી શકતી
નથી. ૫૮.
(आर्या )
जत्थ असक्को सक्को अणीसरो ईसरो फणीसो वि
तुह थोत्ते तत्थ कई अहममई तं खमिज्जासु ।।५९।।
અનુવાદઃહે ભગવન્! તમારા જે સ્તોત્રના વિષયમાં ઇન્દ્ર અશક્ત છે,
ઇશ્વર (મહાદેવ) અનીશ્વર (અસમર્થ) છે તથા ધરણેન્દ્ર પણ અસમર્થ છે; તે તારા
સ્તોત્રના વિષયમાં હું નિર્બુદ્ધિ કવિ (કેવી રીતે) સમર્થ થઈ શકું? અર્થાત્ થઈ શકું
નહિ. તેથી ક્ષમા કરો. ૫૯.
(आर्या )
तं भव्वपोमणंदी तेयणिही णेसरु व्व णिद्दोसो
मोहंधयारहरणे तुह पाया मम पसीयंतु ।।६०।।
અનુવાદઃહે જિન! તમે સૂર્ય સમાન પદ્મનન્દી અર્થાત્ ભવ્યજીવોરૂપ
કમળોને આનંદિત કરનાર, તેજના ભંડાર અને નિર્દોષ અર્થાત્ અજ્ઞાનાદિ દોષરહિત
(સૂર્યના પક્ષે
દોષો રહિત) છો. તમારા પાદ (ચરણ) સૂર્યના પાદ (કિરણો) સમાન
મારા મોહરૂપ અંધકારનો નાશ કરવામાં પ્રસન્ન થાવ. ૬૦.
આ રીતે ૠષભસ્તોત્ર સમાપ્ત થયું. ૧૩.
૨૯૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ