Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 6-7 (15. Shrutdevata Stuti).

< Previous Page   Next Page >


Page 308 of 378
PDF/HTML Page 334 of 404

 

background image
પદાર્થનું દર્શન થાય છે, નહિ કે દ્રષ્ટિહીન મનુષ્યોને પણ. પરંતુ સરસ્વતીમાં આ વિશેષતા છે
કે તેના પ્રસાદથી જેવી રીતે દ્રષ્ટિયુક્ત મનુષ્ય પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દ્રષ્ટિહીન
(અંધ) મનુષ્ય પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી કે સરસ્વતીની ઉત્કર્ષતાથી
કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સમસ્ત વિશ્વને પણ દેખવામાં સમર્થ બની જાય છે કે જે દીપક
દ્વારા સંભવ નથી. ૫.
(वंशस्थ)
नभःसमं वर्त्म तवातिनिर्मलं पृथु प्रयातं विबुधैर्न कैरिह
तथापि देवि प्रतिभासते तरां यदेतदक्षुण्णमिव क्षणेन तु ।।।।
અનુવાદ : હે દેવી! તારો માર્ગ આકાશ સમાન અત્યંત નિર્મળ અને વિસ્તૃત
છે, આ માર્ગે ક્યા વિદ્વાને ગમન નથી કર્યું? અર્થાત્ તે માર્ગે અનેક વિદ્વાનો ચાલતા
રહ્યા છે. છતાં પણ એ ક્ષણ વાર માટે અતિશય અનભ્યસ્ત જેવો (પરિચય ન હોય
તેવો) જ પ્રતિભાસે છે.
વિશેષાર્થ : જ્યારે કોઈ વિશિષ્ટ નગર આદિના પાર્થિવ રસ્તે જનસમૂહ ગમનાગમન
કરે છે ત્યારે તે અક્ષુણ્ણ ન રહેતાં તેમના પગલાં આદિથી અંકિત થઈ જાય છે, તે સિવાય તે
સંકુચિત થવાથી થોડા જ મનુષ્ય તેના ઉપરથી આવી જઈ શકે છે, એક સાથે અનેક માણસો નહિ.
પરંતુ સરસ્વતીનો માર્ગ આકાશ સમાન નિર્મળ અને વિશાળ છે. જેમ આકાશ માર્ગે જો કે અનેક
વિબુધ (દેવો) અને પક્ષી આદિ એકી સાથે પ્રતિદિન નિર્બાધપણે ગમનાગમન કરે છે, તો પણ તે
તૂટ-ફૂટથી રહિત હોવાને કારણે વિકૃત થતો નથી, અને તેથી એવું લાગે છે કે જાણે અહીંથી કોઈનો
સંચાર જ થયો નથી. એવી જ રીતે સરસ્વતીનો પણ માર્ગ એટલો વિશાળ છે કે તેના ઉપરથી
અનેક વિદ્વાનો કેટલે ય દૂર કેમ ન જાય છતાં પણ તેનો ન તો અંત આવે છે અને ન તેમાં કોઈ
પ્રકારનો વિકાર પણ થઈ જાય છે. તેથી તે સદાય અક્ષુણ્ણ બની રહે છે. ૬.
(वंशस्थ)
तदस्तु तावत्कवितादिकं नृणां तव प्रभावात्कृतलोकविस्मयम्
भवेत्तदप्याशु पदं यदीक्षते तपोभिरुग्रैर्मुनिभिर्महात्मभिः ।।।।
અનુવાદ : હે દેવી! તારા પ્રભાવથી મનુષ્ય જે લોકોને આશ્ચર્ય ઉત્પન્ન
કરનારી કવિતા આદિ કરે છે તે તો દૂર જ રહો, કારણ કે તેનાથી તો તે પદ (મોક્ષ)
પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે કે જેને મહાત્મા મુનિજનો તીવ્ર તપશ્ચરણ દ્વારા દેખી
શકે છે. ૭.
૩૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ