Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 13-14 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 8 of 378
PDF/HTML Page 34 of 404

 

background image
પ્રકાશિત કરનાર છે તેને મુનિઓ શરીર હોય ત્યારે જ ધારણ કરે છે. તે શરીરની
સ્થિતિ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવામાં આવેલ જે સદ્ગૃહસ્થોના અન્નથી રહે છે તે
ગુણવાન સદ્ગૃહસ્થો (શ્રાવકો)નો ધર્મ ભલા કોને પ્રિય ન લાગે? અર્થાત્ સર્વને પ્રિય
લાગે. ૧૨.
(स्रग्धरा)
आराध्यन्ते जिनेन्द्रा गुरुषु च विनतिर्धार्मिकैः प्रीतिरुच्चैः
पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धया
तत्त्वाभ्यासः स्वकीयव्रतरतिरमलं दर्शनं यत्र पूज्यं
तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनर्दुःखदो मोहपाशः
।।१३।।
અનુવાદ : જે ગૃહસ્થ અવસ્થામાં જિનેન્દ્રોની આરાધના કરાય છે, નિર્ગ્રંથ
ગુરુઓના વિષયમાં વિનયયુક્ત વ્યવહાર કરાય છે, ધર્માત્મા પુરુષો પ્રત્યે અતિશય
વાત્સલ્ય ભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન
આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાબુદ્ધિથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન
કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે અર્થાત્ ગૃહસ્થ ધર્મ પ્રત્યે પ્રેમ રાખવામાં આવે
છે, તથા નિર્મળ સમ્યગ્દર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવસ્થા વિદ્વાનોને
પૂજ્ય છે. અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળ
જ છે. ૧૩.
(शार्दूलविक्रीडित)
आदौ दर्शनमुन्नतं व्रतमितः सामायिकं प्रोषध
स्त्यागश्चैव सचित्तवस्तुनि दिवाभुक्तं तथा ब्रह्म च
नारभ्भो न परिग्रहोऽननुमतिर्नोिद्रष्टमेकादश
स्थानानीति गृहिव्रते व्यसनितात्यागस्तदाद्यः स्मृतः ।।१४।।
અનુવાદ : સર્વ ઉન્નતિને પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન, ત્યાર પછી વ્રત, ત્યાર
પછી ક્રમ પ્રમાણે સામાયિક, પ્રોષધોપવાસ, સચિત્ત વસ્તુનો ત્યાગ, દિવસે ભોજન કરવું
અર્થાત્ રાત્રિભોજનનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મચર્ય ધારણ કરવું, આરંભ ન કરવો,
પરિગ્રહ ન રાખવો, ગૃહસ્થના કાર્યોમાં સંમતિ ન આપવી, ઉદ્દિષ્ટ ભોજન ગ્રહણ ન
[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ