સ્થિતિ ઉત્કૃષ્ટ ભક્તિથી આપવામાં આવેલ જે સદ્ગૃહસ્થોના અન્નથી રહે છે તે
ગુણવાન સદ્ગૃહસ્થો (શ્રાવકો)નો ધર્મ ભલા કોને પ્રિય ન લાગે? અર્થાત્ સર્વને પ્રિય
લાગે. ૧૨.
पात्रेभ्यो दानमापन्निहतजनकृते तच्च कारुण्यबुद्धया
तद्गार्हस्थ्यं बुधानामितरदिह पुनर्दुःखदो मोहपाशः
વાત્સલ્ય ભાવ રાખવામાં આવે છે, પાત્રોને દાન આપવામાં આવે છે, તે દાન
આપત્તિથી પીડિત પ્રાણીઓને પણ દયાબુદ્ધિથી આપવામાં આવે છે, તત્ત્વોનું પરિશીલન
કરવામાં આવે છે, પોતાના વ્રતો પ્રત્યે અર્થાત્ ગૃહસ્થ ધર્મ પ્રત્યે પ્રેમ રાખવામાં આવે
છે, તથા નિર્મળ સમ્યગ્દર્શન ધારણ કરવામાં આવે છે તે ગૃહસ્થ અવસ્થા વિદ્વાનોને
પૂજ્ય છે. અને તેનાથી વિપરીત ગૃહસ્થ અવસ્થા અહીં લોકમાં દુઃખદાયક મોહજાળ
જ છે. ૧૩.
અર્થાત્ રાત્રિભોજનનનો ત્યાગ, ત્યાર પછી બ્રહ્મચર્ય ધારણ કરવું, આરંભ ન કરવો,
પરિગ્રહ ન રાખવો, ગૃહસ્થના કાર્યોમાં સંમતિ ન આપવી, ઉદ્દિષ્ટ ભોજન ગ્રહણ ન