અનુવાદ : જેની ઉપર આકાશમાં ધરણેન્દ્રની ફેણો સંબંધી રત્નોના કિરણ
કમઠના આઘાત માટે અર્થાત્ તેનો ઉપદ્રવ વ્યર્થ કરવા માટે ક્ષણમાત્રમાં પાયદળ
સેનાની જેમ દોડ્યા હતા તે પાર્શ્વનાથ જિનેન્દ્ર મને અમૃત અર્થાત્ મોક્ષ આપો. ૨૩.
(वंशस्थ)
त्रिलोकलोकेश्वरतां गतो ऽपि यः स्वकीयकायेऽपि तथापि निःस्पृहः ।
स वर्धमानो ऽन्त्यजिनो नताय मे ददातु मोक्षं मुनिपद्मनन्दिने ।।२४।।
અનુવાદ : ત્રણ લોકના પ્રાણીઓમાં પ્રભુતાને પ્રાપ્ત હોવા છતાં પણ જે
પોતાના શરીરના વિષયમાં પણ મમત્વ ભાવ રહિત છે તે વર્ધમાન અંતિમ તીર્થંકર
નમ્રીભૂત થયેલ મને પદ્મનન્દીને મોક્ષ પ્રદાન કરો. ૨૪.
આ રીતે સ્વયંભૂસ્તોત્ર સમાપ્ત થયું. ૧૬.
૩૨૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ