Padmanandi Panchvinshati (Gujarati). 17. Suprabhatashtak Shlok: 1-2 (17. Suprabhatashtak).

< Previous Page   Next Page >


Page 325 of 378
PDF/HTML Page 351 of 404

 

background image
૧૭. સુપ્રભાતાષ્ટકમ્
[१७. सुप्रभाताष्टकम् ]
(शार्दूलविक्रीडित)
निःशेषावरणद्वयस्थितिनिशाप्रान्ते ऽन्तरायक्षया[यो]-
द्द्योते मोहकृते गते च सहसा निद्राभरे दूरतः
सम्यग्ज्ञानदृगक्षियुग्ममभिता विस्फारितं यत्र त-
ल्लब्धं यैरिह सुप्रभातमचलं तेभ्यो जिनेभ्यो नमः
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણ આ બે
આવરણ કર્મોની સ્થિતિરૂપ રાત્રિનો અંત થઈને અન્તરાય કર્મના ક્ષયરૂપી પ્રકાશ થઈ
જતાં તથા શીઘ્ર જ મોહકર્મથી નિર્મિત નિદ્રાભાર સહસા દૂર થઈ જતાં સમીચીન
જ્ઞાન અને દર્શનરૂપ નેત્રયુગલ સર્વ તરફ વિસ્તાર પામ્યા છે અર્થાત્ ખૂલી ગયાં છે
એવા તે સ્થિર સુપ્રભાતને જેમણે પ્રાપ્ત કરી લીધું છે તે જિનેન્દ્રદેવોને નમસ્કાર હો.
વિશેષાર્થ : જેમ પ્રભાત થઈ જતાં રાત્રિનો અંત થઈને ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાવા
માંડે છે તથા લોકોની નિદ્રા દૂર થઈને તેમના નેત્રયુગલ ખુલી જાય છે કે જેથી તે સર્વ તરફ જોવા
લાગી જાય છે. બરાબર એ જ રીતે જિનેન્દ્રદેવોને જે અપૂર્વ પ્રભાતનો લાભ થયા કરે છે તેમાં
રાત્રિ સમાન તેમના જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મોની સ્થિતિનો અંત થાય છે, અંતરાયકર્મનો ક્ષય
જ પ્રકાશ છે, મોહકર્મજનિત અવિવેકરૂપ નિદ્રાનો ભાર નષ્ટ થઈ જાય છે. ત્યારે તેમના કેવળજ્ઞાન
અને કેવળદર્શનરૂપ બન્ને નેત્રો ખુલી જાય છે જેથી તેઓ સમસ્ત વિશ્વને સ્પષ્ટપણે જાણવા અને
દેખવા લાગે છે. એવા તે અલૌકિક, અવિનશ્વર સુપ્રભાતને પ્રાપ્ત કરનાર જિનેન્દ્રોને અહીં નમસ્કાર
કરવામાં આવ્યા છે. ૧.
(शार्दूलविक्रीडित)
यत्सच्चक्रसुखप्रदं यदमलं ज्ञानप्रभाभासुरं
लोकालोकपदप्रकाशनविधिप्रौढं प्रकृष्टं सकृत्
૩૨૫