Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-4 (17. Suprabhatashtak).

< Previous Page   Next Page >


Page 326 of 378
PDF/HTML Page 352 of 404

 

background image
उद्भूते सति यत्र जीवितमिव प्राप्तं परं प्राणिभिः
त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे
।।।।
અનુવાદ : જે સુપ્રભાત સત્ચક્ર અર્થાત્ સજ્જનોને સુખ આપનાર (અથવા
ઉત્તમ ચક્રવાક પક્ષીઓને સુખ આપનાર અથવા સમીચીન ચક્રરત્ન ધારણ કરનાર
ચક્રવર્તીને સુખ આપનાર), નિર્મળ, જ્ઞાનની પ્રભાથી પ્રકાશમાન, લોક અને અલોકરૂપ
સ્થાનને પ્રકાશિત કરવાની વિધિમાં ચતુર અને ઉત્કૃષ્ટ છે તથા જે એકવાર પ્રગટ થતાં
જાણે પ્રાણી ઉત્કૃષ્ટ જીવનને જ પ્રાપ્ત કરી લે છે; એવા તે ત્રણ લોકના અધિપતિસ્વરૂપ
જિનેન્દ્ર ભગવાનના સુપ્રભાતની હું નિરંતર સ્તુતિ કરૂં છું. ૨.
(शार्दूलविक्रीडित)
एकान्तोद्धतवादिकौशिकशतैर्नष्टं भयादाकुले-
र्जातं यत्र विशुद्धखेचरनुतिव्याहारकोलाहलम्
यत्सद्धर्मविधिप्रवर्धनकरं तत्सुप्रभातं परं
मन्ये ऽर्हत्परमेष्टिनो निरुपमं संसारसंतापहृत्
।।।।
અનુવાદ : જે સુપ્રભાતમાં સર્વથા એકાન્તવાદથી ઉદ્ધત સેંકડો પ્રવાદીરૂપ ઘૂવડ
પક્ષી ભયથી વ્યાકુળ થઈને નષ્ટ થઈ ગયા છે, જે આકાશગામી વિદ્યાધરો અને દેવો દ્વારા
કરવામાં આવતી વિશુદ્ધ સ્તુતિના શબ્દથી શબ્દાયમાન છે, જે સમીચીન ધર્મવિધિને
વધારનાર છે, ઉપમા સહિત અર્થાત્ અનુપમ છે અને સંસારનો સંતાપ નષ્ટ કરનાર છે,
એવા તે અરહંત પરમેષ્ઠીના સુપ્રભાતને જ હું ઉત્કૃષ્ટ સુપ્રભાત માનું છું. ૩.
(शार्दूलविक्रीडित)
सानन्दं सुरसुन्दरीभिरभितः शक्रैर्यदा गीयते
प्रातः प्रतरधीश्वरं यदतुलं वैतालिकैः पठयते
यच्चाश्रावि नभश्चरैश्च फणिभिः कन्याजनाद्गायत-
स्तद्वन्दे जिनसुप्रभातमखिलत्रैलोक्यहर्षप्रदम्
।।।।
અનુવાદ : ઇન્દ્રો સાથે દેવાંગનાઓ જે સુપ્રભાતનું આનંદપૂર્વક સર્વ તરફ ગાન
૩૨૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ