કરે છે તથા જે સુપ્રભાત વિષે વિદ્યાધર અને નાગકુમાર જાતિના દેવ ગાતી કન્યાઓ
પાસેથી સાંભળે છે; આ રીતે સમસ્ત ત્રણે લોકને હર્ષિત કરનાર તે જિન ભગવાનના
સુપ્રભાતને હું વંદન કરૂં છું. ૪.
दोषेशो ऽन्तरतीव यत्र मलिनो मन्दप्रभो जायते
वन्द्यं नन्दतु शाश्वतं जिनपतेस्तत्सुप्रभातं परम्
અતિશય મલિન થઈને મન્દ તેજવાળો થઈ જાય છે તથા જે સુપ્રભાત થતાં અન્યાયરૂપ
અંધકારનો સમૂહ ન થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે; એવા તે વંદનીય
અને અવિનશ્વર જિન ભગવાનનું ઉત્કૃષ્ટ સુપ્રભાત વૃદ્ધિને પ્રાપ્ત થાવ.
અંધકાર નષ્ટ થઈ જવાથી દિશાઓ નિર્મળ થઈ જાય છે. એ જ રીતે જિન ભગવાનને જે અનુપમ
સુપ્રભાતનો લાભ થાય છે તે થતાં ચોર સમાન ચિરકાલીન પાપ તરત જ નષ્ટ થઈ જાય છે, દોષેશ
(દોષોના સ્વામી મોહ) કાન્તિહીન થઈને દૂર ભાગી જાય છે તથા અન્યાય અને અત્યાચાર નષ્ટ
થઈ જવાથી બધી બાજુએ પ્રસન્નતા છવાઈ જાય છે. તે જિનેન્દ્રદેવનું સુપ્રભાત વંદનીય છે. ૫.
लोकानां विदधाति दृष्टिमचिरादर्थावलोकक्षमाम्
प्रातस्तुल्यतयापि को ऽपि महिमापूर्वः प्रभातो ऽर्हताम्