મનુષ્ય છે તે જ આ અનેક આપત્તિઓના ઉત્પાદક જુગારને અપનાવે છે, વિવેકી
મનુષ્ય નહિ. ૧૭.
चौर्यादिव्यसनं क्व च क्व नरके दुःखं मृतानां नृणाम्
લોભ આદિ કષાયો ક્યાંથી ઉત્પન્ન થાય? ચોરી આદિ અન્ય અન્ય વ્યસન ક્યાં રહે?
તથા મરીને નરકોમાં ઉત્પન્ન થયેલ મનુષ્યોને દુઃખ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? (અર્થાત્
જુગારથી વિરક્ત થયેલ મનુષ્યને ઉપર્યુક્ત આપત્તિઓમાંથી કોઈ પણ આપત્તિ પ્રાપ્ત થતી
નથી.) આમ ઉન્નત બુદ્ધિવાળા વિદ્વાનો કહે છે. તે યોગ્ય જ છે કેમ કે સમસ્ત બુરા
વ્યસનોમાં આ જુગાર ગાડાની ધરી (ધોંસરી) સમાન મુખ્ય મનાય છે. ૧૮.
हस्तेनाक्ष्णापि शक्यं यदिह न महतां स्प्रष्टुमालोकितुं च
पापं तस्यात्र पुंसो भुवि भवति कियत्का गतिर्वा न विद्मः
તથા મહાપુરુષ જેનો હાથથી સ્પર્શ કરતા નથી અને આંખથી જેને દેખતા પણ નથી ‘તે
માંસ ખાવા યોગ્ય છે’ એવું કહેવું પણ સજ્જનોને માટે નિંદા જનક છે. તો પછી એવું
અપવિત્ર માંસ જે પુરુષ સાક્ષાત્ ખાય છે તેને અહીં લોકમાં કેટલું પાપ થાય છે તથા તેની
કેવી હાલત થાય છે, એ વાત અમે જાણતા નથી.