Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 20-21 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 12 of 378
PDF/HTML Page 38 of 404

 

background image
વિશેષાર્થઃમાંસ પ્રથમ તો મૃગ આદિ મૂંગા પ્રાણીઓના વધથી ઉત્પન્ન થાય છે બીજું
તેમાં અસંખ્ય અન્ય ત્રસ જીવ પણ ઉત્પન્ન થઈ જાય છે જેની હિંસા થવી અનિવાર્ય છે. આ કારણે
તેના ભક્ષણમાં હિંસા જનિત પાપનું થવું અવશ્યંભાવી છે. માટે સજ્જન મનુષ્ય તેનો કેવળ પરિત્યાગ
જ નથી કરતા, પણ તેનો તેઓ હાથથી સ્પર્શ કરવો અને આંખે દેખવું પણ ખરાબ સમજે છે.
માંસભક્ષક જીવોની દુર્ગતિ અનિવાર્ય છે. ૧૯.
(शिखरणी)
गतो ज्ञातिः कश्चिद्वहिरपि न यद्येति सहसा
शिरो हत्वा हत्वा कलुषितमना रोदिति जनः
परेषामुत्कृत्य प्रकटितमुखं खादति पलं
कले रे निर्विण्णा वयमिह भवच्चित्रचरितैः
।।२०।।
અનુવાદ : જો કોઈ પોતાનો સંબંધી પોતાના ઠેકાણેથી બહાર જઈને શીઘ્ર આવતો
નથી તો મનુષ્ય મનમાં વ્યાકુળ થતો થકો વારંવાર માથું પીટીને રોવે છે. તે જ મનુષ્ય
અન્ય મૃગ આદિ પ્રાણીઓનું માંસ કાપીને પોતાનું મુખ પહોળું કરીને ખાય છે. હે કળિ
કાળ! અહીં અમે તારી આ વિચિત્ર પ્રવૃત્તિઓથી નિર્વેદ પામ્યા છીએ.
વિશેષાર્થ : જ્યારે પોતાના કોઈ ઈષ્ટ સગા સંબંધી કાર્યવશ ક્યાંય બહાર જાય છે અને
જો તે સમયસર ઘેર પાછા આવતા નથી તો આ માણસ અનિષ્ટની આશંકાથી વ્યાકુળ થઈને માથું
દીવાલ વગેરે સાથે પછાડીને રુદન કરે છે. પાછો તે જ માણસ જે અન્ય પશુ-પક્ષીઓને મારીને
તેમની માતા આદિથી સદા માટે વિયોગ કરાવીને માંસભક્ષણમાં અનુરક્ત થાય છે, એ આ
કળિકાળનો જ પ્રભાવ છે. કાળની આવી પ્રવૃત્તિઓથી વિવેકી જનોનું ચિત્ત વિરક્ત થાય તે
સ્વાભાવિક છે. ૨૦
(मालिनी)
सकलपुरुषधर्मभ्रंशकार्यत्र जन्म
न्यधिकमधिकमग्रे यत्परं दुःखहेतुः
तदपि न यदि मद्यं त्यज्यते बुद्धिमद्भिः
स्वहितमिह किमन्यत्कर्म धर्माय कार्यम्
।।२१।।
અનુવાદ : જે દારૂ આ જન્મમાં સમસ્ત પુરુષાર્થો (ધર્મ, અર્થ અને કામ)નો
નાશ કરનાર છે અને પછીના જન્મમાં અતિ દુઃખનું કારણ છે તે મદ્ય જો બુદ્ધિમાન
૧૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ